જમ્મુ–કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ કઠુઆના શિવ નગરમાં એક મકાનમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં છ લોકોના શ્વાસ ંધાવાથી મોત થયા હતા. ચાર લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે.આજ્ઞા પગલે અરાજકતા સર્જાઈ હતી. ઘાયલોને તાબડતોબ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જો કે આગ લાગવાનું કારણ હજુ સ્પસ્ટ થયું નથી.
કઠુઆ જીએમસીના પ્રિન્સિપાલ એસકે અત્રીએ જણાવ્યું હતું કે આગ એક નિવૃત્ત સહાયક મેટ્રોનના ભાડાના મકાનમાં લાગી હતી. ઘરમાં હાજર ૧૦ લોકોમાંથી ૬ આગમાં મૃત્યુ પામ્યા. જો કે આગના પગલે દાઝવાથી નહી પરંતુ શ્વાસ ંધાઈ જવાથી આ લોકોના નોટ થયાની પુષ્ટ્રી થઈ છે. અત્રિએ કહ્યું કે મૃતકોમાં માત્ર પરિવારના સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એસ.કે.અત્રીના જણાવ્યા મુજબ, પ્રથમ ધ્ષ્ટ્રિએ એવું લાગે છે કે મૃત્યુનું કારણ ગૂંગળામણ છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે.
કઠુઆમાં એક રિટાયર્ડ ડીએસપીના ઘરમાં લાગેલી આગમાં છ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં અન્ય ચાર ઘાયલ થયા હતા. ઘાયલોમાં એક પાડોશી પણ સામેલ છે. મૃત્યુનું કારણ શ્વાસ ંધાવાથી હોવાનું કહેવાય છે. કારણ કે આગને કારણે કોઈ મોટું નુકસાન થયું નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech