જુનાગઢ જીઆઇડીસી-1માં બારદાનના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. બનાવની જાણ થતા જુનાગઢ ફાયર ઓફિસર દિપક જાની સહિતની ત્રણ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવા ૭૫ હજાર લિટર પાણીનો છંટકાવ કરાયો છે. તેમ છતાં વહેલી સવારથી લાગેલી આગ બપોર સુધી કાબુમાં આવી નથી. આગ કયા કારણોસર લાગી તે કારણ હજી જાણી શકાયું નથી. ફાયરની ટીમ દ્વારા આગને કાબુમાં લેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આગથી બારદાન માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ સેવાઈ રહ્યો છે.
દિવસેને દિવસે આગની ઘટનાનું પ્રમાણ વધતું જાય છે. આ દરમિયાન લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ગોડાઉન માલિકે કહ્યું કે મને સવારે ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે તમારા ગોદાઉનમાં આગ લાગી છે. એ સાંભળીને હું તરત જ અહિયાં પહોંચી ગયો છું અને ત્યારથી જ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ થઇ રહ્યા છે. તેમણે કહ્યું કે ગોદાઉનમાં 40-50 લાખના બારદાન છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationRTE હેઠળ ધોરણ-1માં પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર, 86 હજારથી વધુ વિદ્યાર્થીઓને શાળા ફાળવાઈ
April 28, 2025 10:10 PMકચ્છમાં ગમખ્વાર ત્રિપલ અકસ્માત, બાઈકસવાર દંપતી અને પુત્ર સહિત 3નાં કરુણ મોત
April 28, 2025 10:08 PMયુરોપમાં બ્લેકઆઉટ: ફ્રાન્સ, સ્પેન સહિત ઘણા દેશોમાં વીજળી ગુલ, પ્લેનથી મેટ્રો સુધી બધું ઠપ
April 28, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech