ફાયરની ટુકડીએ જહેમત લઈને આગને કાબુમાં લીધી: સામાન સળગી જતા લાખોનું નુકસાન
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલી વૈજનાથ અનાજ ભંડાર નામની અનાજ કરિયાણાની દુકાનમાં એકાએક આગ લાગી હતી, અને આગને કારણે દુકાનમાં રહેલી તમામ અનાજ કરિયાણાની ચીજ વસ્તુઓ સળગી ઊઠી હતી.
જે બનાવ અંગે ત્યાંથી પસાર થનાર વ્યક્તિએ સૌપ્રથમ ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર શાખાની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી, અને અલગ અલગ પાણીના ત્રણ ટેન્કરો વડે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. પરંતુ તે પહેલાં દુકાનમાં રહેલો અનાજ કરિયાણાની તમામ ચીજ વસ્તુઓનો મોટો જથ્થો બળીને ખાખ થયો હતો, અને દુકાનદારને લાખો રૂપિયાની નુકસાની થઈ છે.
આગના બનાવ અંગે વેપારીને જાણ થવાથી દુકાનદાર કલ્પેશભાઈ સ્થળે દોડી આવ્યા હતા. આ ઉપરાંત ત્યાં એકઠા થઈ ગયેલા લોકોએ આગના બનાવનો વિડીયો બનાવી લીધો હતો, જે આગજનીનો વિડીયો શહેરભરમાં વાયરલ થયો હતો.
વેપારી કલ્પેશભાઈ સોમૈયા દ્વારા સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં એક અરજી કરવામાં આવી હતી, અને છેલ્લા ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન પોતાની દુકાનમાં એક જ રીતે સતત ત્રીજી વખત આગ લાગી હોવાથી કેટલાક આક્ષેપ કરાયા છે. આ બાબતે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઉપરોકત આગના બનાવના કારણે આ વિસ્તારમાં ભારે દોડધામ જોવા મળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech