રાજકોટના રાજારામ ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાના આગની ઘટના સામે આવી છે. થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને 15-20 કિમી સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.
હાલમાં ફાયર બ્રિગેડની ટીમ ઘટા સ્થળે દોડી ગઈ ચેહ અને આગને કાબુમાં લેવા કામગીરી ચાલુ થઇ ગઈ છે. ઘટના સ્થળે 5 ફાયરની ગાડીઓ મોકલવામાં આવી છે.
ઘટનાસ્થળે 50 થી વધુ ફાયરના જવાનોની ટીમ પહોંચી છે. આગ 2 કલાક પહેલા આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગને કાબુમાં લેવા ફાયરની ટીમ દ્વારા કેમિકલ યુક્ત પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે.
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. એસીપી સહિતનો પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે અને લોકોને ત્યાંથી દૂર કરવાની કામગીરી હાથ ધરી છે.
છેલ્લા થોડા સમયથી રાજકોટમાં આગના બનાવનું પ્રમાણ વધી રહ્યું હોય આવું જોવા મળે છે. થોડા સમય પહેલા ધૂળેટીના દિવસે પણ રાજકોટમાં એટલાન્ટીસ બિલ્ડીંગમાં આગની ઘટના બની હતી. જેમાં 3 લોકો મૃત્યુ પામ્યા હતા. એ પહેલા લોકોને હચમચાવી મૂકે આવી ટીઆરપીની ઘટનામાં માસૂમ બાળકો સહિત 27 લોકો આગમાં જીવતા ભૂંજાયા હતા.
હાલ રાજારામ ઇન્ડસ્ટ્રીમાં લાગેલી આગ પાછળનું કારણ જાણી શકાયું નથી. ફાયરની ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરશિયા યુક્રેન પર પરમાણુ હુમલાની તૈયારી કરી રહ્યું છેઃ બ્રિટિશ કર્નલની ગંભીર ચેતવણી
June 07, 2025 03:02 PMચીન અને પાકિસ્તાનની નવી ચાલઃ રાફેલને બદનામ કરવા કાવતરું ઘડ્યું, હવે ખુલાસો થયો
June 07, 2025 02:41 PMછત્તીસગઢમાં 45 લાખનું ઇનામ ધરાવતો ટોચનો નક્સલી નેતા ભાસ્કર રાવ ઠાર
June 07, 2025 02:39 PM2.53 લાખનો ચેક રિટર્નના કેસમાં કણજાના પેસ્ટીસાઈડ વેપારી નિર્દોષ
June 07, 2025 02:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech