ઉત્તરપ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં થયો જોરદાર વિસ્ફોટ: નવ કામદારોના મોત

  • April 26, 2025 02:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
આજે સવારે સહારનપુરમાં એક ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં અનેક કામદારોના મોત થયા હતા. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ નજીકના ગામડાઓમાં પણ સંભળાયો. અકસ્માત પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક સલામતીના મહત્વ પર પ્રશ્નો ઉભા કર્યા છે. વિસ્ફોટ થતા જ આખી બિલ્ડિંગ ધ્વસ્ત થઈ હતી. વિસ્ફોટ સમયે ફેક્ટરની અંદર નવ શ્રમિકો કામ કરી રહ્યા હતાં. તે તમામના ચીથરાં ઉડી ગયા હોવાની આશંકા છે. જો કે, હજી સત્તાવાર ધોરણે મૃતકોની કોઈ ખાતરી થઈ નથી.


પ્રાપ્ત જાણકારી અનુસાર સવારે લગભગ 7 વાગ્યે મુઝફ્ફરનગર-સહારનપુર સ્ટેટ હાઇવે પર જદૌદા જાટ નજીક આવેલી ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં ઘણા કામદારોના મોત થયા હતા. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ નજીકના ગામડાઓમાં પણ સંભળાયો.જ્યારે ગામલોકો ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ફેક્ટરીથી અડધા કિલોમીટર દૂર માંસના ટુકડા વિખરાયેલા હતા. આ ઘટનાથી રોષે ભરાયેલા ગ્રામજનોએ હાઇવે બ્લોક કરી દીધો હતો. માહિતી મળતાં જ ડીએમ મનીષ બંસલ અને એસએસપી રોહિત સિંહ સજવાન પણ ઘટનાસ્થળે પહોંચી ગયા. પોલીસે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે. આ દુર્ઘટનામાં ભોગ બનનારાના પરિજનોએ રોષ વ્યક્ત કરતાં રસ્તા પર દેખાવો કર્યા હતા. તેમણે આરોપ મૂક્યો હતો કે, આ ફેક્ટરી ગેરકાયદે ચાલી રહી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application