લગભગ આઠ મહિનાથી અવકાશમાં ફસાયેલા ભારતીય-અમેરિકન અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરના સુરક્ષિત પરત ફરવા અંગે ઈલોન મસ્ક અને ડેનિશ અવકાશયાત્રી એન્ડ્રેસ મોગેન્સન વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી.ડેનિસ અવકાશયાત્રી એન્ડ્રેસે ઈલોન મસ્કના દાવાને નકારી કાઢ્યો છે કે બાઈડેન સરકારે જાણી જોઈને સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને અવકાશમાં છોડી દીધા હતા. આ દાવાને ખોટો ગણાવતા, એન્ડ્રેસે કહ્યું કે આ ખોટું છે. અને આ એ જ વ્યક્તિ કહી રહી છે જે મીડિયામાં પ્રામાણિકતાના અભાવ પર બુમો પાડે છે.
મસ્ક પોતાની પોસ્ટનો જવાબ આપતી વખતે ગુસ્સે થઈ ગયા હતા. તેણે કહ્યું કે યુ ઈડિયટ..સ્પેસએક્સ તેમને ઘણા મહિનાઓ પહેલા પાછા લાવી શક્યું હોત. મેં આ વાત સીધી બાઈડેન વહીવટીતંત્રને પણ ઓફર કરી હતી પરંતુ તેમણે ના પાડી દીધી. રાજકીય કારણોસર આવું થવા દેવામાં આવ્યું નહીં.પણ ચર્ચા અહીં અટકી નહીં. એન્ડ્રીયાસે જવાબ આપ્યો કે ઈલોન , હું ઘણા સમયથી તમારો ચાહક છું. તમે સ્પેસએક્સ અને ટેસ્લા બાબતે ઘણી ઉપલબ્ધી હાંસલ કરી છે. તમે જાણો છો અને હું પણ સારી રીતે જાણું છું કે તમે તેમને પાછા લાવવા માટે રેસ્ક્યુ શીપ પણ મોકલી રહ્યા નથી.
ઉલ્લેખનીય છે કે પદ સંભાળ્યા પછી, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈલોન મસ્કને બંને અવકાશયાત્રીઓને પૃથ્વી પર પાછા લાવવાની જવાબદારી સોંપી હતી. તેમણે મસ્કને બંને અવકાશયાત્રીઓને શક્ય તેટલી વહેલી તકે પૃથ્વી પર પાછા લાવવા કહ્યું હતું. જોકે, ટ્રમ્પના નિવેદન બાદ નાસાએ બંને અવકાશયાત્રીઓને પાછા લાવવાના પ્રયાસો તેજ કર્યા છે.સુનિતા વિલિયમ્સ ગયા વર્ષે 5 જૂને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ગયા હતા. તેણી એક અઠવાડિયા પછી પરત ફરવાના હતા, પરંતુ બોઇંગ સ્ટારલાઇનરમાં સમસ્યાને કારણે, તે ત્યાં જ અટવાઈ ગયા. બંને અવકાશયાત્રીઓ બોઇંગ અને નાસાના સંયુક્ત ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશન પર અવકાશમાં ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech