વાડીએ ચણા લેવાના બહાને બોલાવી પરિણીતાને પરાણે ઘેની પ્રવાહી પાઇ દુષ્કર્મ

  • February 13, 2024 02:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલના ગુંદાસરા ગામની પરિણીતાને વાડીએ ચણા લેવાં માટે બોલાવ્યા બાદ બળજબરી પૂર્વક ઘેની પ્રવાહી પિવડાવી ગામનાં જ રામ નામના શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. પત્ની ઘરે પરત ન ફરતા પતિએ વાડીએ જઈ તપાસ કરતાં બેભાન હાલતમાં જોવા મળી હતી આથી સારવાર અર્થે પ્રથમ ગોંડલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ વિભાગમાં ખસેડવામાં આવી છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના ગુંદાસરા ગામમાં રહેતી 30 વર્ષીય પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે ગામનો જ રામ નામનો શખ્સ તેણીના ઘર પાસે આવ્યો હતો અને પોતાની વાડીએથી ચણા લઈ જવા કહ્યું હતું, પરિણીતા સવારે શખ્સની વાડીએ ગઈ હતી જ્યાં રામ નામના શખસે પરણિતા સાથે વાતચીત કરી સોડા પીવડાવ્યા બાદ કોઈ પ્રવાહી પિવડાવવાનો પ્રયાસ કર્યો હતો જે પીવાની ના પાડતા શખ્સે ફડાકા ઝીકી બળજબરી પૂર્વક પ્રવાહી પીવડાવ્યું હતું. બાદમાં બેભાન થઇ જતા શખ્સે શારીરિક સબંધ બાંધ્યો હતો. અને ઓરડીમાં જ મૂકી નાસી છૂટ્યો હતો.
વધુમાં ભોગ બનનાર મહિલાના પતિએ જણાવ્યું હતું કે, હું મજૂરી કામ કરું છું, ગઈકાલે હું કામે ગયો હતો અને નવ વાગ્યે પત્નીનો ફોન આવ્યો હતો અને પોતે ગામના રામભાઈની વાડીએ ચણા લેવા જાય છે તેમ કહ્યું હતું. કલાક બાદ પત્નીને ફોન કરતાં અર્ધ બેભાન હાલતમાં વાત કરતી હોવાથી હું સીધો વાડીએ પહોંચ્યો હતો જ્યાં પત્નીને બેભાન હાલતમાં સમગ્ર હકીકત જણાવી હતી. આથી તેને તાકીદે પ્રથમ ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં દાખલ કરી છે. આક્ષેપો અંગે ગોંડલ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application