શહેરના નાણાવટી ચોક પાસેના વિસ્તારમાં રહેતી પરિણીતાને રવિરત્ન પાર્કમાં રહેતા તેના મિત્રએ ઘરે બોલાવી તું કેમ બીજા સાથે સંબંધ રાખે છે કહી મારમાર્યો હતો. બાદમાં ન્યારી ડેમ પાસે કાફેમાં લઈ જઇ અહીં પણ ઝઘડો કરી મારમાર્યો હતો જે અંગે પરિણીતાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ, નાણાવટી ચોક પાસેના વિસ્તારમાં રહેતી અંકિતા (નામ બદલાવેલ છે) નામની 36 વર્ષીય પરિણીતાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જયેશ જોટાંગીયા (રહે. રવિરત્ન પાર્ક) નું નામ આપ્યું છે.
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પતિ વિદેશમાં નોકરી કરે છે સંતાનમાં બે દીકરીઓ છે જેમાં મોટી દીકરી પતિ સાથે છે જ્યારે નાની દીકરી તેની સાથે રહે છે. ગત તા. 10/3 ના પરિણીતાને તેના મિત્ર જયેશ જોટાગીયાનો ફોન આવ્યો હતો અને મળવા માટે બોલાવતા પરિણીતા તેના ઘરે ગઈ હતી ત્યારે અહીં તેની સાથે રહેતી અન્ય એક મહિલા રહેતી હોય જે હાજર ન હતી. જયેશ કહેવા લાગ્યો હતો કે, તને તારા મિત્ર દેવાશીષ (નામ બદલાવેલ છે) સાથે સંબંધ ન રાખવાનું કહ્યું છે છતાં તું તેની સાથે કેમ સંબંધ રાખે છે? તેમ કહી ગાળો આપી ઢીકાપાટુનો મારમાર્યો હતો. બાદમાં કહ્યું હતું કે અહીં અવાજ થશે જેથી આપણે બહાર જઈને સમાધાન કરી લઈએ તેમ કહી ન્યારી ડેમ પાસે અવધના ઢાળિયા નજીક આવેલા કાફેમાં લઈ ગયો હતો
અહીં ફરી તે ઝઘડો કરી કહેવા લાગ્યો હતો કે, તે મારી સાથે દગો કર્યો છે મારી એકની સાથે જ પ્રેમ સંબંધ રાખવાનો હતો બીજા સાથે કેમ રાખ્યો કહી કે એમાં પડેલી લાકડી અને સ્ટીલના વાઇપર વડે માર માર્યો હતો દરમિયાન અહીં અન્ય લોકો આવી જતા તેણે છોડાવ્યા હતા બાદમાં ફરી તે પરિણીતાને ઘરે લઈ ગયો હતો.જયાં ફરિયાદીની તબિયત બગડતા અને ઉલટી થવા લાગતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો જ્યાં જયેશ મારી નાખવાની અને તેના ફોટા પતિને બતાવી દેવાની ધમકી આપી હોય જેથી પરિણીતાએ કંઈ કહ્યું ન હતું. બાદમાં તે ઘરે ગઈ હતી અને તેણે આ બાબતે તેના માતાને આ વાત જણાવી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જયેશ જોટાંગિયા વિરુદ્ધ તેણે આ ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMજામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નીકળ્યા સાયકલ યાત્રાએ
April 18, 2025 06:16 PMજામનગરમાં આજે વિશ્વ હેરિટેજ દિવસની ઉજવણી
April 18, 2025 06:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech