પાલીતાણા ટીઆરબી જવાનના ભાઈના મળેલા મૃતદેહના પગલે અનેક તર્ક-વિતર્ક

  • March 19, 2025 04:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર જિલ્લાના પાલિતાણામાં એક રહેણાંકીય મકાનમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી હતી. મૃતક યુવાને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું મૃતકના ભાઈએ પાલિતાણા પોલીસને જણાવ્યું હતું. પરંતુ તપાસમાં પોલીસને મૃતકના ગળે કોઈ નિશાન ન હોવાનું જણાતા પોલીસે શંકા વ્યકત કરી વધુ તપાસ અર્થે મૃતદેહ ને ફોરેન્સીક પી.એમ. અર્થે ભાવનગર ખાતે મોકલી પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પાલિતાણાના આદપુર રોડ પર આવેલી  સર્વોદય સોસાયટીના નાકા નજીક રહેતા ભગીરથસિંહ બટુકસિંહ ગોહિલ (ઉ.વ.૩૭) મૃત હાલતે મળી આવ્યા હતા. જેની જાણ તેના ભાઈ અને ટી.આર.બી.જવાન તરીકે ફરજ બજાવતા મયુરસિંહને થતાં મયુરસિંહે પાલિતાણા ટાઉન પોલીસને જાણ કરી હતી અને બાદમાં પોલીસે ઘટના સ્થળે જઈ મૃતદેહનો કબ્જો લઇ તપાસ શરૂ 
કરી હતી. તપાસ દરમિયાન મયુરસિંહે તેના ભાઈ ભગીરથસિંહ એકલા રહેતા હોય અને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું પોલીસને જણાવ્યું હતું પરંતુ તપાસમાં પોલીસને મૃતક યુવક
અંગે શંકા જણાતા ભગીરથસિંહના મૃતદેહને  ફોરેન્સીક પી.એમ. અર્થે ભાવનગર સર.ટી. હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો  જો કે, મૃતક અને તેના ભાઇ વચ્ચે ૧૫ દિવસ પૂર્વે જ મિલ્કતનો ભાગ પાડ્યો હોવાનું અને તેના મનદુ:ખ બાબતે માથાકુટ ચાલી રહી હોય તે દિશામાં પણ તપાસ ચાલી રહી હોવાનું પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.
બપોરના સમયે  મૃતદેહ મળી આવતા અને શંકાશિલ મોત હોવાનું સામે આવતા પાલિતાણા ટાઉન પોલીસ, એલસીબી, ડોગ સ્કવોર્ડ, એફએસએલ  સહિતની ટીમોએ  ઘટના સ્થળે જઈ મૃતકના ઘરે તપાસ હાથ ધરી હતી.તો બીજી બાજુ મૃતદેહ મળી આવ્યાની ઘટના અંગે   પાલીતાણામાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application