મનમોહન તેમના હિન્દી ભાષણો ઉર્દૂ લિપિમાં લખતા હતા અને તેનું એક ખાસ કારણ હતું. તેઓ ઉર્દૂ ઉપરાંત પંજાબી ભાષાની ગુમુખી લિપિ અને અંગ્રેજીમાં પણ લખતા હતા. દેશ અને દુનિયામાં અર્થશાક્રના મહાન વિદ્રાનોમાંના એક મનમોહન સિંહ ૧૦ વર્ષ સુધી દેશના વડાપ્રધાન હતા. અગાઉ નાણામંત્રી તરીકે તેમણે દેશની આર્થિક નીતિઓમાં મોટા ફેરફારો કર્યા હતા.
પંજાબનો વિસ્તાર યાં મનમોહન સિંહે પ્રારંભિક શિક્ષણ મેળવ્યું હતું તે આજે પાકિસ્તાનનો એક ભાગ છે. તેમનું શિક્ષણ ઉર્દૂ માધ્યમમાં શ થયું, તેથી જ તેઓ ઉર્દૂ સારી રીતે વાંચી અને લખી શકતા હતા. તેઓ ઉર્દૂ લિપિ ઉપરાંત પંજાબી ભાષાની ગુમુખી લિપિમાં પણ લખતા હતા. મનમોહન સિંહ અંગ્રેજીમાં પણ નિપુણ હતા અને તેમણે અંગ્રેજીમાં ઘણા મહત્વપૂર્ણ પુસ્તકો લખ્યા હતા. મૃદુભાષી વ્યકિતત્વ ધરાવતા મનમોહન સિંહ જાહેર જીવનમાં ભાગ્યે જ ગુસ્સામાં જોવા મળતા. તે હંમેશા ખૂબ જ ગંભીર અને શાંત દેખાતા હતા.
કેમ્બિ્રજ યુનિવર્સિટીમાંથી અર્થશાક્રમાં માસ્ટર ડિગ્રી અને પછી ઓકસફોર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાક્રમાં ડોકટરેટની ડિગ્રી મેળવનાર મનમોહન સિંહની ગણતરી અર્થશાક્રના દિગ્ગજ નેતાઓમાં થતી હતી. ૧૯૯૧માં યારે ભારતની અર્થવ્યવસ્થા ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી હતી ત્યારે તત્કાલીન વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવે તેમને નાણામંત્રી બનાવ્યા. આ તે સમય હતો યારે ભારતીય અર્થતંત્રને નવી દિશા આપવા માટે મોટા ફેરફારોની જર હતી. આવા સમયે મનમોહન સિંહે આર્થિક ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મૂકી.
મનમોહન સિંહે નાણામંત્રી તરીકે વિદેશી રોકાણ આકર્ષવા માટે નીતિઓમાં મોટા ફેરફારો કર્યા અને ભારતની વેપાર નીતિને વધુ લવચીક બનાવી. આ આર્થિક સુધારાઓએ ભારતના અર્થતંત્રને નવું જીવન આપ્યું અને તેને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવ્યું. તેમના નેતૃત્વમાં ભારત આર્થિક સંકટમાંથી બહાર આવ્યું અને ઝડપથી વિકાસ કર્યેા. તેમના યોગદાનને કારણે તેમને વર્તમાન ભારતીય અર્થવ્યવસ્થાના આર્કિટેકટ ગણવામાં આવે છે.
મનમોહન સિંહ ૨૦૦૪ થી ૨૦૧૪ સુધી ભારતના વડાપ્રધાન હતા. વડાપ્રધાન બનતા પહેલા તેમણે પોતાની સાદગી અને ઐંડી વિચારશીલતાથી ભારતીય રાજકારણમાં મહત્વનું સ્થાન બનાવી લીધું હતું. તેઓ વડા પ્રધાન બન્યા પછી, ભારતે વૈશ્વિક મચં પર પોતાની છાપ નવેસરથી બનાવવાનું શ કયુ. તેમના નેતૃત્વમાં ભારતે અમેરિકા સાથે પરમાણુ કરાર પર હસ્તાક્ષર કર્યા, જે દેશ માટે મહત્વપૂર્ણ હતા. આ કરારે વૈશ્વિક પરમાણુ શકિત તરીકે ભારતની સ્થિતિને વધુ મજબૂત કરી. વડાપ્રધાન તરીકે મનમોહને ગરીબી નાબૂદી, આરોગ્ય, શિક્ષણ અને સામાજિક કલ્યાણના ક્ષેત્રોમાં ઘણી યોજનાઓ શ કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech