દિલ્હી કોર્ટે શુક્રવારના રોજ આબકારી નીતિ કૌભાંડ સંબંધિત CBI કેસમાં આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કે કવિતાની ન્યાયિક કસ્ટડી 31 જુલાઈ સુધી લંબાવી છે. આ પહેલા ગુરુવારે કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં તેની કસ્ટડી લંબાવી હતી.
સિસોદિયા અને કવિતાને વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કારણકે તેમની અગાઉની ન્યાયિક કસ્ટડી આજે સમાપ્ત થઈ ગઈ હતી. અગાઉ દિલ્હી હાઈકોર્ટે કવિતાને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. જે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) મુજબ હવે નિષ્ક્રિય દિલ્હી એક્સાઈઝ પોલિસી 2021-22ની રચના અને અમલીકરણ પાછળના ગુનાહિત કાવતરાના 'મુખ્ય કાવતરાખોરો' પૈકીના એક હતા.
ઈડીએ 15 માર્ચે મની લોન્ડરિંગના કેસમાં કવિતાને હૈદરાબાદમાં તેના ઘરેથી ધરપકડ કરી હતી. જ્યારે સીબીઆઈએ ભ્રષ્ટાચારના કેસમાં તિહાર જેલમાંથી તેની ધરપકડ કરી હતી. કવિતા બંને કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે. સિસોદિયાને સીબીઆઈ દ્વારા ફેબ્રુઆરી 2023 માં દારૂ નીતિ કેસમાં તેમની કથિત ભૂમિકા બદલ ધરપકડ કરવામાં આવી હતી. માર્ચ 2023માં EDએ તેમની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. ત્યારથી તે ન્યાયિક કસ્ટડીમાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech