તળાજા પંથકમાં ખેત મજૂર પરિવારની સગીર પુત્રી સાથે શખ્સએ આચર્યું દુષ્કર્મ

  • March 16, 2024 08:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની હતી. તળાજા પંથકના એક ગામડામાં ખેત મજૂરીએ જતી સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી હતી. સગીરાને પેટમા દુખાવો થતા સમગ્ર બનાવ મામલે માતાને પોતાની સાથે બનેલ દુષ્કર્મની ઘટનાની જાણ કરી હતી. ત્યારે પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું. પરિવારજનો સગીર દીકરીને લઇ સર.ટી હોસ્પિટલમાં આવેલ અને બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી કાકા-ભત્રીજા સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.


જે બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની હતી. જે મામલે સગીરાના પિતા જણાવ્યું હતું કે પોતે વાડીએથી પાણી વાળીને વહેલી સવારે ઘરે આવ્યા હતા. તે વેળાએ દીકરી ઘરે ન હતી. તપાસ કરતા એક યુવક ઘર નજીક આંટા મારી રહ્યો હતો. તેના ઘરે તપાસ કરતા ત્યાંથી મળી આવી હતી. બાદ બપોરના સમયે દીકરીએ પેટમા દુઃખાવાની ફરિયાદ કરતા ભાવનગર સર.ટી. હોસ્પિટલ ખાતે લઈ જવાય હતી. સગીરાના પિતાએ કહ્યું હતું કે દીકરીએ માતાને પોતાની સાથે બળજબરી પૂર્વક યુવકે સંબંધ બાંધ્યાનું જાણ કરી હતી. બનાવ મામલે પોલીસે સગીરા સાથે દુષ્કર્મ આચરનાર કેતન અશોકભાઈ મકવાણા અને તેને મદદગીરી કરનાર શખ્સના કાકા ગોપાલભાઈ ધુડાભાઈ મકવાણા નામના બન્ને શખ્સો સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application