BREAKING NEWS

ખંભાળિયા : ભરાણા ગામના તરૂણે ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ

  • November 24, 2025 12:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા રોહિત રમણીકભાઈ ચાવડા નામના આશરે ૧૬ વર્ષના તરુણે શુક્રવારે રાત્રિના સમયે કોઈ અગમ્ય કારણોસર તેમના મોટાબાપુ કરસનભાઈ ચાવડાના મકાનની બારીમાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લેતા તેનો નિષ્પ્રાણ દેહ મળી આવ્યો હતો.


આ અંગે મૃતકના મોટાભાઈ આનંદભાઈ રમણીકભાઈ ચાવડાએ વાડીનાર મરીન પોલીસને કરી છે. જે અંગે પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી. આ બનાવે મૃતકના પરિવારજનોમાં ભારે શોકની લાગણી પ્રસરાવી છે.


ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના મૂળ રહીશ અને હાલ ઓખાના આકે. બંદર વિસ્તારમાં રહેતા અરજણભાઈ ઝીણાભાઈ સોલંકી નામના ૪૨ વર્ષના માછીમાર યુવાને શુક્રવારે રાત્રિના સમયે તેમની બોટની કેબિન પર સૂતા બાદ મધ્યરાત્રીના સમયે તેમણે બોટ પર આગળના ભાગે રહેલા પાઇપમાં દોરડું બાંધી અને ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
​​​​​​​

આપઘાતના આ બનાવ અંગે કોઈ ચોક્કસ કારણ જાહેર થયું નથી. જે અંગેની નોંધ કોડીનાર તાલુકાના કોટડા ગામના મૂળ વતની એવા રવિભાઈ ધનજીભાઈ ચાવડા (ઉ.વ. ૨૩)એ ઓખા મરીન પોલીસમાં કરાવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application