અકસ્માત સર્જીને ભાગી છુટનાર બાઈક ચાલકને સીસીટીવી કેમેરાની મદદથી પોલીસે શોધી કાઢ્યો
જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ધુંવાવ નજીક ઇસ્કોન મંદિર પાસે રસ્તો ઓળંગી રહેલા એક મહિલાને અજાણ્યા વાહન ચાલકે ઠોકરે ચડાવી ઇજાગ્રસ્ત બનાવ્યા હતા, અને તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અકસ્માત સર્જીને ભાગી છુટનાર વાહન ચાલકને પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી શોધી કાઢ્યો છે.
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર આવેલા ઇસ્કોન મંદિર પાસે ગત ૩૧મી તારીખે રસ્તો ઓળંગી રહેલા એક મહિલાને અજાણ્યા વાહન ના ચાલકે ઠોકરે ચડાવ્યા હતા, અને તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. જે બનાવ અંગે મૃતકના પુત્ર સતીશ અભિમન્યુ પવારે અજાણ્યા વાહન ચાલક સામે પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદના અનુસંધાને પંચકોશી એ. ડિવિઝનની પોલીસ ટીમે જામનગરના કમાન કંટ્રોલરૂમ હેઠળ ના જુદા જુદા સીસીટીવી કેમેરાઓ વગેરેનું નિરીક્ષણ કર્યા પછી ઊંડાણપૂર્વકની તપાસના અંતે અકસ્માત સર્જનાર મોટરસાયકલ ના ચાલકને શોધી કાઢ્યો હતો.
જામનગર તાલુકાના ખીમરાણા ગામના પરેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુ શિવુભા જાડેજા ને ઝડપી લીધો હતો.ધુંવાવ રોડ પરથી પસાર થતા મહિલાને તેણે હડફેટ માં લીધા હતા જે વાહન ના નંબરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા પછી પોલીસે ઊંડાણપૂર્વકની તપાસના અંતે આરોપી પિન્ટુ જાડેજાને ઝડપી લીધો છે, અને બાઈક કબજે કર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech