સરકારની એક કરોડની જમીન પર બંધાયેલો બંગલો મામલતદારે તોડી પાડ્યો

  • February 20, 2024 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


માધાપરમાં ગઈકાલે અંદાજે પિયા ૫૦ કરોડની કિંમતની સરકારી જમીન પર થયેલા દબાણો મામલતદાર કાર્તિકભાઈ મકવાણાએ તોડી પાડા પછી આજે સતત બીજા દિવસે પણ દબાણ હટાવ સામેની કામગીરી ચાલુ રહી હતી અને આણંદપર (નવાગામ)માં સરકારી જમીન પર બાંધી દેવામાં આવેલો બંગલો તોડી પાડવામાં આવ્યો છે.
આણંદપર (નવાગામ)ની સરકારી ખરાબાની સર્વે નંબર ૩૦૭ ની ૩૦૦ ચોરસ મીટર જેટલી જગ્યામાં વશરામભાઈ શેખ નામના કોઈ આસામીએ બંગલો બાંધી દીધો હોવાની જાણ થતા તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ અંગેનો કેસ પણ મામલતદાર સમક્ષ ચાલી ગયો હતો અને દબાણ થયાનું સાબિત જણાતા આજે તે તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

બેડીથી માલીયાસણ તરફ જવાના માર્ગે હાઇવે પર બ્લેક સ્ટોન હોટેલ નજીક અંદાજે પિયા એક કરોડની કિંમતની આ સરકારી જમીન પરનો બંગલો તોડી પાડવાની કાર્યવાહી વખતે દબાણ શાખાના નાયબ મામલતદાર રઘુવીરસિંહ વાઘેલા અને તલાટી સહિતનાઓ સાથે રહ્યા હતા. દબાણ હટાવની કામગીરી વખતે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application