ગુજરાત રાજયમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કુપોષણ માં ૪૮૩ ટકાનું વધારો થયા હોવાની ચોકાવનારી હકીકત બહાર આવી છે ૨૦૧૮માં ૩૩ જિલ્લામાં કુપોષણનો આંકડો ૧,૧૮,૦૪૧ હતો જે ૨૦૨૩ દરમિયાન ૩૩ જિલ્લામાં પાંચ લાખ ૫,૭૦,૩૦૫ નું થયું છે એટલે કે ૪૮૩ ટકાનું વધારો નોંધાયો છે સૌથી આશ્ચર્ય પમાડે તેવી વાત એ છે કે મેગા સીટી અમદાવાદમાં સૌથી વધુ ૫૬૯૪૧ બાળકો કુપોષણનો શિકાર છે.
રાયમાં ૩૩ જિલ્લાઓમાં તા.૩૧–૧૨–૨૦૧૮ની સ્થિતિએ કુપોષિત બાળકોની સંખ્યા ૧,૧૮,૦૪૧ હતી.રાયમાં ૩૦ જિલ્લાઓમાં તા.૩૧–૧૨–૨૦૨૨ની સ્થિતિએ કુપોષિત બાળકોની સંખ્યા ૧,૨૫,૯૦૭ હતી. રાયમાં ૩૧ જિલ્લાઓમાં તા.૩૧–૧૨–૨૦૨૩ની સ્થિતિએ કુપોષિત બાળકોની સંખ્યા ૫,૭૦,૩૦૫ હતી.રાજયમાં અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ૫૬,૯૪૧ બાળકો, આદિવાસી વસ્તી ધરાવતાં દાહોદ જિલ્લામાં ૫૧,૩૨૧ બાળકો, બનાસકાંઠા જિલ્લામાં ૪૮,૮૬૬ બાળકોની સંખ્યા છે.
રાજકોટ જિલ્લામાં ૨૦૧૮માં કુપોષિત બાળકોની સંખ્યા ૨,૪૦૯ હતી તે ૨૦૨૩માં ૧૫,૫૭૩ થઈ છે રાયમાં કુપોષિત બાળકોની સંખ્યામાં મોટો વધારો થયો છે, વર્ષ ૨૦૨૨માં ૧,૨૫,૯૦૭ હતી તે સંખ્યામાં ચાર ગણા કરતા વધુનો વધારો નોંધાયો છે અને વર્ષ ૨૦૨૩માં કુપોષિત બાળકોની સંખ્યા ૫,૭૦,૩૦૫ થઈ છે. રાજય સરકાર કુપોષણ દૂર કરવાના દાવાઓ કરે છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. તેવો આક્ષેપ કોંગ્રેસના અમિત ચાવડા દ્રારા કરવામાં આવ્યો છે. રાજયમાં કુપોષિત બાળકોની સંખ્યા બતાવવામાં આવે છે તેમાં આંગણવાડી કેન્દ્રોમાં આવતા બાળકો પૈકીની સંખ્યા બતાવવામાં આવે છે. આંગણવાડી કેન્દ્રોમાં ન જતાં હોય તેવા કુપોષિત બાળકોની સંખ્યા લાખોમાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech