ભારત વિરોધી વલણ અપનાવનાર માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ નવી દિલ્હીની પ્રથમ મુલાકાત બાદ યુ-ટર્ન લીધો છે. ચીનના સમર્થક ગણાતા મુઈજ્જુ માલદીવ પહોંચી ગયા છે. માલદીવના વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ હવે ભારત સાથે સંબંધો સુધારવા માંગે છે. મુઈઝુ રાષ્ટ્રપતિ બન્યા બાદ માલદીવે ઘણા ભારત વિરોધી પગલાં લીધા હતા.
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ ભારત સાથેના સંબંધોમાં તાજેતરની ખટાશને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. માલદીવના વિદેશ મંત્રાલયે મંગળવારે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ભારતની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ મુઇઝુએ ભારત સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી. તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા. બંને નેતાઓએ લાંબા ગાળાના અને બહુપરિમાણીય સંબંધો પર ભાર મૂક્યો હતો.
મોહમ્મદ મુઇઝુ માલદીવ ફર્યા પરત
ચીન તરફી ગણાતા રાષ્ટ્રપતિ મુઈઝુ રવિવારે આયોજિત નરેન્દ્ર મોદી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા ભારત પહોંચ્યા હતા. મુઇઝુ ભારતનો પ્રવાસ પૂરો કરીને મંગળવારે માલદીવ પરત ફર્યા હતા. માલદીવના વિદેશ મંત્રાલયે કહ્યું કે રાષ્ટ્રપતિ મુઇઝુ પીએમ મોદીના આમંત્રણ પર શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે ભારત આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન મુઇઝુએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા મહેમાનોના સન્માનમાં આયોજિત ભોજન સમારંભમાં પણ હાજરી આપી હતી.
બંને દેશો વચ્ચેના સંબંધો થશે વધુ મજબૂત
બંને રાષ્ટ્રપતિઓએ એક બેઠકમાં ભારત-માલદીવના સંબંધોને મજબૂત કરવા ચર્ચા કરી હતી. ભારતના રાષ્ટ્રપતિ સચિવાલય તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ મુર્મુએ આશા વ્યક્ત કરી છે કે ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો આગામી વર્ષોમાં વધુ મજબૂત થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech