ગોળ, ખજૂર અને મખાના સહિત વિવિધ ઘટકોમાંથી તૈયાર કરાયેલ મખાનાના લાડુ જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે શરીરને ઊર્જા આપે છે. ખાસ કરીને ઉપવાસ અથવા નબળાઈ દરમિયાન. મખાનામાં પ્રોટીન, ફાઈબર, એન્ટીઓક્સીડેન્ટ અને મિનરલ્સ હોય છે, જે ભૂખને સંતોષે છે અને લાંબા સમય સુધી ઉર્જાવાન પણ રાખે છે. આટલું જ નહીં તે શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી પણ આપે છે. તો જાણો મખાનાના લાડુ બનાવવાની રેસિપી અને તેના ફાયદા જે વિવિધ પોષક તત્વોથી ભરપૂર છે.
મખાનાના લાડુ બનાવવાની રેસીપી
બનાવવાની રીત:
સૌપ્રથમ એક કડાઈમાં 1-2 ટેબલસ્પૂન ઘી નાખો અને મખાનાને ધીમી આંચ પર હળવા સોનેરી થાય ત્યાં સુધી તળો. હવે શેકેલા મખાનાને ઠંડુ થવા દો અને પછી તેને મિક્સરમાં બરછટ પીસી લો. આનાથી લાડુ બનાવતી વખતે મખાના સારી રીતે બાઇન્ડ થઇ જશે અને સ્વાદિષ્ટ બનશે. તે જ કડાઈમાં થોડું વધારે ઘી નાખો અને તેમાં ઝીણા સમારેલા કાજુ અને બદામને સાંતળો.
હવે બીજી કડાઈમાં 1 ટેબલસ્પૂન ઘી ઉમેરો અને તેમાં છીણેલો ગોળ ઉમેરો. ગોળને ધીમી આંચ પર ઓગાળો જ્યારે ગોળ ઓગળવા લાગે ત્યારે તેમાં ઝીણી સમારેલી ખજૂર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ખજૂર લાડુની કુદરતી મીઠાશ અને પોષણમાં વધારો કરશે. હવે ઓગાળેલા ગોળ અને ખજૂરના મિશ્રણમાં બરછટ પીસેલા મખાના અને શેકેલા કાજુ-બદામ ઉમેરો. એલચી પાવડર ઉમેરો અને મિશ્રણને સારી રીતે મિક્સ કરો. હવે જ્યારે મિશ્રણ થોડું ઠંડુ થાય ત્યારે નાના લાડુ બનાવી લો. તૈયાર કરેલા લાડુને સંપૂર્ણપણે ઠંડા થવા દો અને પછી તેને એરટાઇટ કન્ટેનરમાં સંગ્રહ કરો. આ લાડુ 2-3 અઠવાડિયા સુધી બગડશે નહીં.
મખાના લાડુના ફાયદા
ઊર્જા સ્ત્રોત
મખાના અને ગોળની સાથે ખજૂર અને ડ્રાયફ્રૂટ્સમાંથી બનેલા મખાનાના લાડુ ત્વરિત ઊર્જા આપે છે.
પાચનમાં મદદ કરે છે
તેમાં રહેલ મખાના અને એલચી પાચનક્રિયાને સુધારે છે.
નબળાઈ દૂર થાય છે
પોષક તત્વોથી ભરપૂર આ લાડુ નબળાઈ દૂર કરવામાં મદદ કરે છે. ખાસ કરીને જ્યારે લાંબા સમય સુધી ખોરાક નથી લેતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech