આવતીકાલથી નવરાત્રિ શરૂ થઈ રહી છે. આ નવ દિવસો દરમિયાન ભક્તો દેવીની પૂજા-અર્ચના કરે છે અને ઉપવાસ પણ રાખે છે. વ્રત દરમિયાન દરેક વ્યક્તિ શુદ્ધ અને સાત્વિક ખોરાક ખાય છે, પરંતુ સાથે સાથે આ ખોરાક પણ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ હોવો જોઈએ. શિંગોળા સામાન્ય રીતે ઉપવાસ દરમિયાન ખાવામાં આવે છે. શિંગોળાના લોટની સાથે સાથે કાચા શિંગોળા પણ વ્રત દરમિયાન ખાઈ શકાય છે.
શિંગોળાની રેસીપી
શિંગોળાને બે થી ત્રણ વાર પાણીમાં નાખીને સારી રીતે સાફ કરો.
ત્યારબાદ આ શિંગોળાની છાલ કાઢી લો. છાલ ઉતારતી વખતે તેમાં ઉગતા કાંટાનું ખાસ ધ્યાન રાખો.
હવે આ બધા છાલવાળા શિંગોળા ફરી એકવાર પાણીથી ધોઈ લો.
જ્યારે તે સારી રીતે સાફ થઈ જાય, ત્યારે પેનને ગેસ પર મૂકો.
તેમાં દેશી ઘી નાખી ગરમ કરો અને જીરું તતડવા દો
જીરા તડ્યા પછી તેમાં સમારેલા શિંગોળાને ઉમેરો. આ શિંગોળાને હાઈ ફ્લેમ પર ફ્રાય કરો. જેના કારણે તેમાંથી મીઠી સુગંધ આવવા લાગે છે.
હવે શિંગોળામાં રોક મીઠું, પીસેલા કાળા મરી અને બારીક સમારેલી ધાણાભાજી ઉમેરો.
અંતે લીંબુનો રસ ઉમેરી ગરમાગરમ સર્વ કરો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાં ઈલોન મસ્કની સ્ટારલિંકનો માર્ગ મોકળો, સેટેલાઇટ ઇન્ટરનેટ લાઇસન્સ મળ્યું
June 06, 2025 05:09 PMઅનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન
June 06, 2025 03:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech