નવરાત્રી હવે થોડા જ દિવસોમાં શરૂ થવા જઈ રહી છે. નવરાત્રી ઉત્તર ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ઘણા લોકો ઉપવાસ કરે છે. ઘણા લોકો ઉપવાસ દરમિયાન ફળો જ ખાતા હોય છે. તેથી કેટલાક લોકો એક સમયે માત્ર રોક સોલ્ટમાંથી બનાવેલ ખોરાક ખાય છે.
નવરાત્રિમાં શું ખાવું અને શું ન ખાવું એ પ્રશ્ન વારંવાર મનમાં દોડતો રહે છે. ત્યારે સાબુદાણા શ્રેષ્ઠ છે. સાબુદાણાની ખીર બનાવવા સિવાય તમે તેને વડા તરીકે પણ તેની રેસેપી બનાવી શકો છો.
સાબુદાણાના વડા બનાવવા માટે સૌ પ્રથમ તમારે 1 કપ સાબુદાણાને ઓછામાં ઓછા 5 કલાક આખી રાત પાણીમાં પલાળી રાખવાનું રહેશે. સાબુદાણા તેમાં ડૂબી જાય તેટલું પાણી હોવું જોઈએ.
સાબુદાણાને યોગ્ય રીતે પલાળી રાખવા એ સૌથી જરૂરી છે. તે ખૂબ નરમ ન હોવા જોઈએ. હવે એક તપેલી લો અને તેમાં મગફળીને શેકી લો. તે લાઈટ બ્રાઉન થઈ જાય પછી તેને મિક્સરમાં ક્રસ કરી લો.
આ પછી એક બાઉલ લો અને તેમાં 3-4 બાફેલા બટાકાને સારી રીતે મિક્ષ કરો. બટાકામાં સાબુદાણા, મગફળી, લીલા મરચાં, ધાણાભાજી, ઘઉંનો લોટ, મીઠું અને લીંબુ ઉમેરો. બધું બરાબર મિક્સ કરીને તેના ગોલ બનાવી ફ્રાય કરો. બસ તૈયાર છે સાબુદાણા વડા. હવે એક ડીસમાં ગરમા ગરમ સાબુદાણા વડાનો આનંદ માણો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસમાં જોડાતા જ અશોક તંવરે ભાજપનું ટેન્શન વધાર્યું
October 03, 2024 05:58 PMએક કૉલ, સમસ્યા હલ! મહારાષ્ટ્ર ડેપ્યુટી સીએમ અજિત પવારે બારામતીમાં 'પંચ શક્તિ'ની જાહેરાત કરી
October 03, 2024 05:45 PMઆ ફળ ચરબી ઘટાડવામાં પણ મદદરૂપ , દૈનિક આહારમાં કરો સામેલ
October 03, 2024 05:14 PMમાતાજીના ગરબા રાત્રે જ કેમ રાખવામાં આવે છે?
October 03, 2024 05:14 PMઉપરવાલા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ: વ્યક્તિ બેઠા બેઠા બન્યો કરોડપતિ
October 03, 2024 05:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech