પ્રભાસપાટણ સોમનાથ ખાતે રામમંદિર સામે વર્ષેાથી દેશ્વર મંદિરની સેવા પુજા કરતા સાધુ સમાજના ૪૦ જેટલા મકાનો ઉપર ડિમોલેશન હાથ ધરવામાં આવેલ અને તમામ મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યા છેે.
સોમનાથ ટ્રસ્ટ અને આ ૪૦ પરીવારોનું કોર્ટમાં કેસ ચાલતો હતો અને કોર્ટના હત્પકમના આધારે ડિમોલેશ હાથ ધરવામાં આવેલે આ ડિમોલેનશ કોર્ટ કમીશનની ઉપસ્થિતિમા કરવામાં આવ્યું છેે.
સોમનાથ ટ્રસ્ટ અને દબાણકારો વચ્ચે ધણા સમયથી કોર્ટ મેટર ચાલતી હતી અને કોર્ટ ટ્રસ્ટ ના ફેવર મા હત્પકમ કરતાં આ ડિમોલેશન હાથ ધરવામાં આવેલ.
આ બાબતે પ્રભાસ પાટણ પીઆઈ પટેલ દ્રારા જણાવવામાં આવેલ કે એસપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ બંદોબસ્ત વચ્ચે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા અને સોમનાથ ટ્રસ્ટની ટીમની હાજરીમાં જેસીબી મશીનો અને ટ્રેકટરોના કાફલા સાથે ડિમોલેશ હાથ ધરવામાં આવેલ.
ડિમોલેશન પુર્વે સાધુ સમાજ દ્રારા આ ડિમોલેશ બધં રાખી અને વૈકલ્પિક જગ્યા ફાળવવા માટે કલેકટરને રજુઆત કરવામાં આવેલ. જેમાં જણાવવામાં આવેલ કે આ જગ્યા ૧૯૩૫માં પ્રેમગીત બુધ્ધગીરી દ્રારા મંદિર રીપેરીંગ કરાવેલ અને ત્યારથી મંદિરનો કબ્જો તેમના પરિવાર પાસે છે અને સેવા પુજા કરે છે. આ ચાલીસ પરીવાર દ્રારા અંદાજીત ૨૦૦ વર્ષથી મંદિરની સેવા પુજા કરે છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ મંદિરની બાજુમાં ૨૦૦ની આજુબાજુ પોતાના વડવાઓની સમાધિ સ્થળ આવેલ છે તેમજ બે પ્રાચીન માતાજીના મઢ પણ આવેલ છે. અહિં રહેતા મોટા ભાગના પરીવારો પાસે ગાય પણ આવેલ છે. આ ગાયો અને વાછરડાને ઢોર પુરવાના ડબ્બા લઇ જવામાં આવેલ.
આ ગાયોને યારે ખીલેથી છોડવામાં આવેલ ત્યારે તેમની જગ્યાએથી મહામુસીબતે છોડેલ અને પાલતુ કુતરા પણ જગ્યા છોડતા ન હતા, ત્યારે પરીવારમા ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતાં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech