"ગૌધુલી મહાસંગ્રામ 2025"નું ભવ્ય આયોજન: લોકડાયરામાં લોકસાહિત્યકાર રાજભા ગઢવી, ભજનીક કિરણબેન ગજેરા, લોકસાહિત્યકાર રાજદાન ગઢવી અને ઉસ્તાદ સુરેશ પટેલ જેવા કલાકારો પરફોર્મ કરશે
જામનગરના વિભાપર ગામે જય વછરાજ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા આવતીકાલેના રોજ ગૌધુલી મહાસંગ્રામ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગૌ સેવા અને લોક જાગૃતિ ફેલાવવાનો છે, જેમાં મહાપ્રસાદ અને લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગૌશાળામાં નિરાધાર, લુલી, લંગડી, અંધ-અપંગ, એકસીડન્ટ થયેલ 800થી વધુ ગાયોની સારવાર કરવામાં આવે છે. આ ગૌશાળાને જીવદયાના હેતુસર ધર્મપ્રેમી ભાઈ-બહેનોને તન-મન-ધનથી સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.કાર્યક્રમની શરૂઆત આવતીકાલે સવારે 5:00 વાગ્યે પંચકુંડી યજ્ઞથી થશે, ત્યારબાદ બપોરે 3:00 વાગ્યે મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 5:00 વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
આવતીકાલે રાત્રે 9:00 વાગ્યે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકડાયરામાં લોકસાહિત્યકાર રાજભા ગઢવી, ભજનીક કિરણબેન ગજેરા, લોકસાહિત્યકાર રાજદાન ગઢવી અને ઉસ્તાદ સુરેશ પટેલ જેવા કલાકારો પરફોર્મ કરશે.આ કાર્યક્રમમાં સંત મહંતશ્રી ઉમેશગીરી બાપુ, હરીપર (પ્યાવા) આશ્રમ અને સન્માનનીય મહેમાનો પૂનમબેન માડમ (સાંસદ સભ્ય, જામનગર), રાઘવજીભાઈ પટેલ (ગુજરાત રાજ્ય કૃષિ મંત્રી કેબિનેટ), આર. સી. ફળદુ (પૂર્વ કેબિનેટ મંત્રી), દિવ્યેશભાઈ અકબરી (79 ધારાસભ્ય, જામનગર), રમેશભાઈ મુંગરા (જામનગર જીલ્લા અધ્યશ), વિમલભાઈ કગથરા (જામનગર શહેર અધ્યક્ષ), ચંદ્રેશભાઈ પટેલ (પૂર્વ સાંસદ જામનગર), ધર્મેન્દ્રસીહ (હકુભા) જાડેજા (પૂર્વ મંત્રી ગુજરાત રાજ્ય), મનસુખભાઈ રાબડિયા (પ્રમુખ લેઉવા પટેલ સમાજ જામનગર), જીતુભાઈ લાલ (અખિલ ગુજરાત લોહાણા સમાજ પ્રમુખ), જૈન સાહેબ (સેન્ચ્યુરી કેમીકલ્સ મીઠાપુર), પી. બી. વસોયા (પૂર્વ જીલ્લા અધ્યશ) અને દિનેશભાઈ ડાંગરીયા (જીઆઈડીસી પ્લોટ એન્ડ શેક હોલ્ડર એસોસીયન પ્રમુખ) ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં સેવાના સહયોગીઓ રાજુભાઈ રસોયા (માલધારી કેટરર્સ), શ્રીનાથજી લાઈટીંગ, પરેશભાઈ દોમડીયા (ઈલેક્ટ્રીક ફીટીંગ), ભગવતી જનરેટર હરભોલે મંડપ સર્વિસ, ચેતનભાઈ પટેલ (પુજા સાઉન્ડ), ભારત મીનરલ વોટર (અમીતભાઈ), ચિંતનભાઈ દોમડીયા (ઈલેક્ટ્રીક ફીટીંગ), છગનભાઈ પટેલ (ઈલેક્ટ્રીક ફીટીંગ), રસીકભાઈ પીપરીયા (ઈલેક્ટ્રીક ફીટીંગ), પ્રકાશભાઈ કાનાણી (ઈલેક્ટ્રીક ફીટીંગ) અને હર્ષભાઈ અજાણી (ઈલેક્ટ્રીક ફીટીંગ) છે. બેન્ડ પાર્ટી માટે યોમીનભાઈ દોમડીયા, પ્રશાંતભાઈ પાંભર, સાવનભાઈ ચોવટીયા અને જલપેશભાઈ સંઘાણીનો સંપર્ક કરી શકાય છે.
દાન આપવા માટે યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, વિભાપર બ્રાન્ચ, જામનગરના એકાઉન્ટ નંબર 510101002852021 અને IFSC કોડ UBIN0915696 પર સંપર્ક કરી શકાય છે.આ કાર્યક્રમમાં આયોજકો દ્વારા સર્વે ધર્મપ્રેમી ભાઈ-બહેનોને ભાવભર્યું જહેર આમંત્રણ આપવામાં આવ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech