આજે મહારાષ્ટ્ર્રની ૨૮૮ બેઠકો પર અને ઝારખંડમાં બીજા તબક્કાની ૩૮ બેઠકો પર વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. મહારાષ્ટ્ર્રમાં ધાર્યા પ્રમાણે જ મતદાન નિરસ રહ્યું હતું યારે ઝારખંડમાં મતદાનની શઆત ઉત્સાહજનક રહી હતી. આ ચૂંટણીમાં ઘણા દિગ્ગજોની પ્રતિા દાવ પર છે. મતગણતરી ૨૩ નવેમ્બરે થશે. મહારાષ્ટ્ર્રના અનેક દિગ્ગજ નેતાઓ જેમ કે શરદ પવાર, મુખ્યમંત્રી એકનાશ શિંદે, ઉદ્ધવ ઠાકરે, અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસના ભાવિનો ફેંસલો થશે. બીજી તરફ, ઝારખંડમાં સત્તાધારી ઈન્ડિયા બ્લોક અને એનડીએ વચ્ચે મુકાબલો છે. આ સિવાય ચાર રાયોની ૧૫ બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે. મહારાષ્ટ્ર્રમાં બીજેપી ૧૪૯ સીટો પર ચૂંટણી લડી રહી છે,શિવસેનાએ ૮૧ અને એનસીપીએ ૫૯ સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. યારે, કોંગ્રેસ ૧૦૧ બેઠકો પર, શિવસેના (યુબીટી) ૯૫ અને એનસીપી (એસપી) ૮૬ બેઠકો પર નસીબ અજમાવી રહી છે. શિવસેનાના બંને જૂથ ૫૦ બેઠકો પર આમને–સામને છે.
ઝારખડં વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં કુલ ૩૮ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, યાં ૫૨૮ ઉમેદવારોના ભાવિનો નિર્ણય થશે. જેમાં મુખ્યમંત્રી હેમતં સોરેન, તેમની પત્ની કલ્પના સોરેન અને વિપક્ષી નેતા અમર કુમાર બૌરીનો સમાવેશ થાય છે.
રાજયમાં સત્તાધારી જેએમએમની આગેવાની હેઠળના ગઠબંધન અને ભાજપ વચ્ચે મુકાબલો છે.
મુખ્યમંત્રી હેમતં સોરેન સાહિબગજં જિલ્લાના બરહેતથી જેએમએમના ઉમેદવાર છે. તેઓ અહીંથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. તેમની હરીફાઈ એજેએસયુ છોડીને બીજેપીમાં સામેલ થયેલા ગમેલીએલ હેમબ્રામ સામે છે. ૨૦૧૯ ની વિધાનસભા ચૂંટણીમાં, ગામલીએલને એજેએસયુ ટિકિટ પર માત્ર ૨,૫૭૩ મત મળ્યા. રસપ્રદ વાત એ છે કે, ૨૦૧૯માં ભાજપે આ સીટ માટે સિમોન માલ્ટોને પોતાના ઉમેદવાર તરીકે નોમિનેટ કર્યા હતા, જેમને ૪૮ હજારથી વધુ વોટ મળ્યા હતા. આ વખતે બીજેપીએ સિમોન માલ્ટોની ટિકિટ રદ્દ કરી દીધી, જેના કારણે તેઓ જેએમએમમાં જોડાયા અને હવે મુખ્યમંત્રી હેમતં સોરેનનું ચૂંટણી પ્રચાર સંભાળી રહ્યા છે.સવારે ૯ વાગ્યા સુધીમાં મહારાષ્ટ્ર્રમાં માત્ર ૬.૬૧ ટકા, ઝારખંડમાં ૧૨.૭૧ ટકા મતદાન
મહારાષ્ટ્ર્રમાં સવારે ૯ વાગ્યા સુધીમાં માત્ર ૬.૬૧ ટકા મતદાન થયું હતું યારે ઝારખંડમાં મતદાનની ઝડપ સારી રહી હતી. અહીં સવારે ૯ વાગ્યા સુધી ૧૨.૭૧ ટકા મતદાન નોંધાયું છે. મહારાષ્ટ્ર્ર ચૂંટણીમાં મતદાન કરવા માટે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં વીવીઆઈપીઓ મતદાન કરવા માટે બહાર આવ્યા છે. જેમાં એનસીપી એસપી વડા શરદ પવાર, સચિન તેંડુલકર, ઝોયા અખ્તર, ઝીશાન સિદ્દીકી, નવાબ મલિક, યોગેન્દ્ર પવાર, જોન અબ્રાહમ, અમિત ઠાકરે, સોનુ સૂદનો સમાવેશ થાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech