મહારાષ્ટ્ર્ર ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીના વરિ નેતા અને રાષ્ટ્ર્રીય મહાસચિવ વિનોદ તાવડે પર નાણાંની વહેંચણીના ગંભીર આરોપો લાગ્યા છે. મુંબઈની એક હોટલમાં વિરોધ પક્ષ બહત્પજન વિકાસ અઘાડીના કાર્યકરોએ તેમને ઘેરી લીધા છે. બીવીએ કાર્યકરોનો આરોપ છે કે તાવડે તેને વહેંચવા માટે ૫ કરોડ પિયા લઈને અહીં આવ્યા હતા. જો કે તાવડે આ આરોપોને ખોટા ગણાવી રહ્યા છે.
વિરોધીઓએ આ સમયે આખી વિવાંતા હોટલને સીલ કરી દીધી છે. આ વિસ્તારમાં બીવીએની સ્થિતિ ઘણી મજબૂત માનવામાં આવે છે. બીવીએ કાર્યકરોનો આરોપ છે કે તાવડે મતદાન માટે રોકડ વહેંચવા આવ્યા હતા. આ દરમિયાન અનેક પોલીસ અધિકારીઓ પણ હોટલ પર પહોંચી ગયા છે. બીવીએના કાર્યકરો વિવાંતા હોટલ ખાતે ભેગા થઈ રહ્યા છે. આ હંગામા વચ્ચે બહત્પજન વિકાસ આઘાડીના વડા હિતેન્દ્ર ઠાકુર હોટલ પહોંચી ગયા છે. તેમનો પુત્ર ક્ષિતિજ ઠાકુર પણ તેમની સાથે છે. હિતેન્દ્રનો આરોપ છે કે વિનોદ તાવડે ૫ કરોડ પિયા લઈને અહીં આવ્યા હતા. તેમની પાસેથી બે ડાયરીઓ મળી આવી છે. હિતેન્દ્ર અને તેમનો પુત્ર બંને વસઈ અને નાલાસોપારાથી ધારાસભ્ય છે. આ વખતે ક્ષિતિજ ફરીથી નાલાસોપારા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
તાવડેએ કહ્યું કે હત્પં બૂથ મેનેજમેન્ટના કામ માટે ત્યાં ગયો હતો. તેઓ તેમના કાર્યકરોને મતદાન કર્યા પછી ઈવીએમ મશીનો કેવી રીતે સીલ કરવામાં આવે છે તે જણાવવા માટે બેઠકમાં આવ્યા હતા. આ દરમિયાન અમારા વિરોધ પક્ષના કાર્યકરોને લાગ્યું કે પૈસાની વહેંચણી થઈ રહી છે. તેમણે કહ્યું, હત્પં ૪૦ વર્ષથી પાર્ટીમાં છું. સત્ય બધા જાણે છે પરંતુ તેમ છતાં ચૂંટણી પચં અને પોલીસે આ મામલે તપાસ કરવી જોઈએ. હોટલમાં સીસીટીવી ફટેજ છે. તપાસ થશે તો બધું સ્પષ્ટ્ર થઈ જશે.
આ ઘટના પર બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાનું નિવેદન પણ આવ્યું છે. તેમણે કહ્યું છે કે જો વિપક્ષ પાસે આવા કોઈ પુરાવા છે તો તેમણે ચૂંટણી પચં પાસે જવું જોઈએ. માલવિયાએ આ ઘટનાને ષડયત્રં ગણાવી છે. તેમણે કહ્યું કે, ચૂંટણીના ૨૪ કલાક પહેલા નેતાઓ તેમના બૂથના સંચાલનનું ધ્યાન રાખે છે. હારેલા નેતાઓ આવા ડ્રામા કરે છે, જે હાલમાં નાલાસોપારામાં થઈ રહ્યું છે. તેણે કહ્યું છે કે તે હોટલમાં અમારા સંગઠનની બેઠક ચાલી રહી હતી.
આ ઘટના પર શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનું નિવેદન આવ્યું છે. તેણે કહ્યું, યારે હત્પં મા તુલજાભવાનીના દર્શન કરવા આવી રહ્યો હતો ત્યારે ચૂંટણી પંચના અધિકારીઓએ મારી બેગની તપાસ કરી હતી. જોકે, તેઓને કઈં મળ્યું ન હતું. હવે વિનોદ તાવડેની બેગમાંથી પૈસા મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે પણ અનિલ દેશમુખ પર હત્પમલો થયો હતો, તો પછી પથ્થરો કયાંથી આવ્યા તેની તપાસ કોણે કરવી જોઈતી હતી. હત્પં તુલજાભવાની માતાને પ્રાર્થના કં છું કે રાયમાંથી આ ભ્રષ્ટ્ર અને આતકં ફેલાવતી સરકારનો ખાત્મો થાય
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech