૪૫ દિવસથી ચાલી રહેલા મહાકુંભનું સમાપન આજે મહાશિવરાત્રી પર્વ સ્નાન સાથે થશે. આજે મહાકુંભના છેલ્લા દિવસે બપોર સુધીમાં એક કરોડ જેટલા લોકોએ સ્નાન કર્યું હતું. છેલ્લા ૪૪ દિવસમાં ૬૪ કરોડ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું હતું. શિવરાત્રી પર 3 કરોડ ભક્તો સ્નાન કરે તેવું અનુમાન છે. એટલે કે, કુલ આંકડો 67કરોડને વટાવી જવાની સંભાવના છે. યોગી સરકારે દાવો કર્યો હતો કે વિશ્વની અડધી હિન્દુ વસ્તી જેટલા લોકો અહીં આવ્યા છે.
મહાકુંભમાં છેલ્લા સ્નાનને ધ્યાનમાં રાખીને, 25 ફેબ્રુઆરીની સાંજથી પ્રયાગરાજ શહેરમાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મેળાની અંદર પણ વાહનો ચાલી રહ્યા નથી. રાત્રિથી જ સંગમ તરફ જતા રસ્તાઓ પર ભારે ભીડ છે. સંગમ ઘાટ પર સ્નાન કર્યા પછી, ભક્તોને ઘાટ ખાલી કરવા માટે કહેવામાં આવી રહ્યું છે જેથી ત્યાં ભીડ ન થાય.
અંતિમ અને ૪૫માં દિવસે સંતો મંત્રોચ્ચાર સાથે મહાશિવરાત્રીની પુજા કરશે. અંતિમ શાહી સ્નાનની પૂર્વ તૈયારીના ભાગરુપે સમગ્ર પ્રશાસન એલર્ટ થઇ ગયું છે, જવાબદારી સંભાળનારા અધિકારીઓએ ઇમર્જન્સી બેઠક બોલાવી હતી. મુખ્યમંત્રી યોગીના આદેશ પર બોલાવાયેલી બેઠકમાં ડીઆઇજી, કમિશનર, કલેક્ટર સહિતના ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા. પ્રશાસને 48 કલાકમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ એકઠી થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. અગાઉ મૌની અમાસે નાસભાગમાં 50 લોકો માર્યા ગયા હતા તેવી કોઇ ઘટના ફરી ના થાય તેની તકેદારી માટે આ ઇમર્જન્સી બેઠક બોલાવાઇ હતી. સમગ્ર સ્થિતિ પર નજર રાખવા માટે વોર રૂમ શરૂ કરાયો છે.
અંતિમ દિવસે શ્રદ્ધાળુઓને પ્રયાગરાજના તમામ શિવ મંદિરોએ જવાની છૂટ અપાશે, મહાકુંભની શરૂઆત થઇ ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 45 કરોડ શ્રદ્ધાળુઓ આવશે તેવુ અનુમાન લગાવ્યું હતું, જોકે આ આંકડો 11 ફેબુ્રઆરીએ જ પાર પહોંચી ગયો હતો. હાલ આંકડો 65કરોડે પહોંચ્યો છે. હરીદ્વાર, ઉજ્જૈન, નાશીકમાં દર ચાર વર્ષે કુંભ મેળો યોજાય છે જ્યારે પ્રયાગરાજમાં દર 12 વર્ષે મહાકુંભ યોજાય છે, તેથી હવે ૧૨ વર્ષ બાદ આ મહાકુંભ યોજાશે તેને ધ્યાનમાં રાખીને હાલ અંતિમ દિવસે પણ સ્નાન કરવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. હાલ ત્રિવેણી સંગમ પર નોન-સ્ટોપ સ્નાન કરાઇ રહ્યું છે. હાલ સંગમમાં ઘાટ પર પગ મુકવાની પણ જગ્યા નથી એટલી મોટી સંખ્યામાં લોકો સ્નાન કરવા પહોંચી ગયા છે. વૃદ્ધોથી લઇને યુવા વયના, મહિલાઓથી લઇને પુરુષો, શહેરી નાગરિકોથી લઇને ગ્રામીણ વિસ્તારના લોકો એક થઇને સ્નાન કરી રહ્યા છે.
ગઈકાલે રાત્રે જ ૧.૩૩ કરોડ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી લીધી
ઉત્તર પ્રદેશ સરકારના જણાવ્યા અનુસાર, ગઈકાલે જ સંગમ અને અન્ય ઘાટો પર લગભગ ૧.૩૩ કરોડ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું હતું, જેના કારણે ગઈકાલે મોડી રાત સુધીમાં મહાકુંભ ૨૦૨૫ માટે આવનારા લોકોની કુલ સંખ્યા ૬૪ કરોડથી વધુ થઈ ગઈ હતી.
કુલ 66 કરોડ ભક્તોએ ડૂબકી લગાવી
ઉત્તર પ્રદેશ સરકારના જણાવ્યા મુજબ આ મહાકુંભમાં ભારત અને ચીનની વસ્તી સિવાય વિશ્વના તમામ દેશોની વસ્તી કરતાં વધુ લોકો પહોંચ્યા છે. જોકે, મળેલી માહિતી અનુસાર, સવારે 4 વાગ્યા સુધીમાં સંગમમાં ડૂબકી લગાવનારા ભક્તોની કુલ સંખ્યા 66 કરોડને વટાવી ગઈ છે.આ મહાકુંભમાં છ ખાસ દિવસો પર શાહી સ્નાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોષ પૂર્ણિમા (૧૩ જાન્યુઆરી), મકરસંક્રાંતિ (૧૪ જાન્યુઆરી), મૌની અમાવસ્યા (૨૯ જાન્યુઆરી), વસંત પંચમી (૩ ફેબ્રુઆરી), માઘી પૂર્ણિમા (૧૨ ફેબ્રુઆરી) અને મહાશિવરાત્રી (૨૬ ફેબ્રુઆરી, આજે)નો સમાવેશ થાય છે.
રેલ્વે સ્ટેશન, રસ્તાઓ, શહેરના તમામ પ્રવેશદ્વારો પર સતત ભીડ
મહાકુંભ નગર અને ઘાટ પર ભીડને નિયંત્રિત કરવા માટે સુરક્ષા કર્મચારીઓને આખી રાત સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી હતી. રેલ્વે સ્ટેશન, રસ્તાઓ અને શહેરના તમામ પ્રવેશદ્વારો પર ભક્તોની સતત ભીડ જોવા મળી હતી. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ, અર્ધલશ્કરી દળો અને વ્યવસ્થાપન ટીમોને તૈનાત કરવામાં આવી છે. પરિસ્થિતિનું વાસ્તવિક સમયનું નિરીક્ષણ કરવા માટે સર્વેલન્સ ડ્રોન અને AI-આધારિત કેમેરા સાથે CCTV મોનિટરિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. તબીબી ટીમો અને કટોકટી વ્યવસ્થાપન એકમો પણ તૈનાત છે.
મહાશિવરાત્રી પર 25 ખાસ ટ્રેનોની વ્યવસ્થા
મહાશિવરાત્રી પછી મુસાફરી કરતા મુસાફરોના ભારે ધસારાને પહોંચી વળવા માટે, ઉત્તર પૂર્વીય રેલ્વેએ વધારાની ટ્રેનોની વ્યવસ્થા કરી છે અને મુખ્ય સ્ટેશનો પર સુરક્ષા કડક બનાવી છે. 25 ફેબ્રુઆરી સુધી 60 ટ્રેનો ચલાવવામાં આવી હતી જેમાં કાર્બી ટ્રેનો, રિંગ રેલ, લાંબા અંતરની ટ્રેનો અને મેળા માટે દોડતી ખાસ ટ્રેનોનો સમાવેશ થાય છે, જ્યારે મહાશિવરાત્રી પર 25 ખાસ વધારાની ટ્રેનો પણ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech