11 વર્ષ પછી મહાભારતના કલાકારોનું પુનઃમિલન, અર્જુન દુર્યોધનથી લઈ દ્રોણાચાર્યનો બદલાયો લૂક

  • August 13, 2024 05:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


2013માં સ્ટાર પ્લસ પર આવેલી મહાભારતનું નિર્દેશન સિદ્ધાંત કુમાર તિવારીએ કર્યું હતું. આજે પણ તે મહાભારત ચાહકોમાં લોકપ્રિય છે. 11 વર્ષ પછી, શોના કલાકારોનું પુનઃમિલન જોવા મળ્યું છે, અર્જુનનું પાત્ર ભજવતા અભિનેતા શહીર શેખે Instagram પર શેર કરી છે. ફોટોમાં ટીવી સીરિયલ મહાભારતના કલાકારો જોવા મળી રહ્યા છે ચાહકો તેમના વર્ષોથી ફેવરિટ સ્ટારના બદલાતા લુકને જોઈને પ્રતિક્રિયા આપતા જોવા મળે છે.


શાહિર શેખે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો અને વિડિયો શેર કર્યો છે, જેમાં તેણે ચાહકોને મહાભારતની કાસ્ટ પુનઃમિલન બતાવ્યું છે. વીડિયોમાં શોના દરેક લોકો મહાભારતનું ટાઈટલ ટ્રેક ગાતા જોવા મળી રહ્યા છે, જેના કેપ્શનમાં એક્ટરે લખ્યું કે તો ગઈકાલે રાત્રે ઘણી બધી યાદો તાજી કરી, અને ખુબ હસ્યા નિર્દેશક મુકેશનો આભાર.


આ સિવાય શહીર શેખ, અભિનેતા વિન રાણા, અહમ શર્મા, પારસ અરોરા, અંકિત ભારદ્વાજ, અર્પિત રાંકા, અંકિત મોહન, લાવણ્યા ભારદ્વાજ, સૌરવ ગુર્જર અને રોહિત ભારદ્વાજ સાથે તસવીરમાં જોવા મળે છે. નિર્માતા સિદ્ધાર્થ કુમાર તિવારી પણ આ ખાસ ક્ષણનો ભાગ બનતા જોવા મળી રહ્યા છે.



અર્પિત રાંકાએ આ ખાસ પળની તસવીર અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જો કે, કેટલાક પાત્રો ગાયબ જોવા મળ્યા હતા, જેનો ચાહકો ટિપ્પણીઓમાં ઉલ્લેખ કરતા જોવા મળે છે. એક યુઝરે લખ્યું, કૃષ્ણા ગુમ છે. તો અન્ય એક યુઝરે લખ્યું, શકુની મામા પણ ગુમ છે. તે જ સમયે, કેટલાક લોકો દ્રૌપદીનું પાત્ર ભજવનાર અભિનેત્રીને પણ મિસ કરી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application