બગડનદીના કિનારે પ્રાચીન નળેશ્વર મહાદેવ મંદિરે મહા આરતી યોજાઇ

  • August 14, 2024 04:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નળેશ્વર મહાદેવ સુંદર મંદિર ધામ આવેલ છે અહી નળ રાજા અને પાંડવો એ સ્થાપના કરી પુજા અર્ચન કયર્નિી લોક વાયકા છે જીલ્લામાં માત્ર અહી જ ત્રણ શિવલીંગ પ્રગટ થયેલ હોવાની લોક વાયકા છે વર્ષો પૌરાણિક ધાર્મિકમંદિર ના અનેક લેખ અનેક લોક વાયકા વડીલો પાસે જાણવા મળે છે તેમજ આવી જ પ્રગટ શિવલીંગ એક બગદાણા નજીક કરમદયા ગામ નજીક બગડ નદી નજીક બિરાજમાન હોવાનુ પૂજારી શિરાગ ભારતી ગૌસ્વામી બાપુએ અને પંડયા રાજેશ ભાઈ એ જણાવેલ ત્યા જંગલ વિસ્તાર માં આજે પણ શિવલીંગ બિરાજમાન છે અહી નળેશ્વર મહાદેવ મંદિર લોકસાહિત્યકાર માયાભાઈ સહિત સંતો અગ્રણીઓ અધિકારીઓ પદાધિકારીઓ શ્રાવણમાસ દરમિયાન અવિરત દર્શનાર્થીઓનો પ્રવાહ ઉમટે છે અહી ત્રિવેણી સંગમ છે સુંદર બાગ બગીચા સહિત સુવિધાઓ ઉપલબ્ધ કરા ઈ રહી છે પૂજારી શિરાગ ભારતી ગૌસ્વામી બાપુ અને તેમના પરિવાર દ્વારા સુંદર વ્યવસ્થા કરાઇ રહી છે.
સેવા પુજા અર્ચન આરતીપૂજન કરી રયા છે શ્રાવણમાસે દર સોમવારે અહી મેળા જેવુ વાતાવરણ રહે છે બગડ નદીના કિનારે આવેલ નળેશ્વરમહાદેવ દરેક શિવ ભક્તો ની મનો કામના પૂર્ણ થાય છે ખાસ પર્યટન સ્થળ ફરવા લાયક પુરાતન સ્થળ જોવા લાયક સ્થળ છે ચારે બાજુ બગડ નદી ના પવિત્ર જળ ખળ ખળ વહી રયા છે અને નજીક નળેશ્વર મહાદેવ મંદિર બિરાજમાન છે સોમવારે કર્મચારીઓ અધિકારીઓ પદાધિકારીઓ દર્શનાર્થીઓ શ્રધ્ધાળુઓ યાત્રાળુઓ ની ભારે ભીડ હોય આરતી નો લાભ લઇ ભક્તો એ ધન્યતા અનુભવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application