એન્ટાર્કટિકામાં ચાર દાયકાથી વધુ સમય પહેલાં મળેલો એક ચંદ્રીય ઉલ્કાપિંડ હવે ભારતના ચંદ્રયાન–૩ના લેન્ડિંગ સ્થળ સાથે જોડાયેલો હોવાનું નવા વૈજ્ઞાનિક અભ્યાસમાં જાણવા મળ્યું છે. આ મહત્વપૂર્ણ શોધ અમદાવાદ સ્થિત ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના વૈજ્ઞાનિકોએ કરી છે અને તેનો અહેવાલ વૈજ્ઞાનિક જર્નલ એનપીજે સ્પેસ એકસ્પ્લોરેશનમાં પ્રકાશિત થયો છે. ૧૯૮૧માં એન્ટાર્કટિકાના એલન હિલ્સ વિસ્તારમાંથી વૈજ્ઞાનિકોએ કેટલાક ઉલ્કાપિંડોના ટુકડા એકત્રિત કર્યા હતા. બાદમાં તેમને એએલએચએ ૮૧૦૦૫ તરીકે ઓળખ આપવામાં આવી હતી. આ ઉલ્કાપિંડને ચદ્રં પરથી પૃથ્વી પર આવેલો પ્રથમ નિશ્ચિત ચંદ્રીય ઉલ્કાપિંડ માનવામાં આવે છે. નવીન અભ્યાસ અનુસાર, એએલએચએ ૮૧૦૦૫ની રાસાયણિક રચના ચંદ્રયાન–૩ના શિવ શકિત સ્ટેશન ખાતે માપવામાં આવેલી માટીની રચના સાથે ખૂબ જ મેળ ખાય છે. ૨૦૨૩માં ચંદ્રયાન–૩ના વિક્રમ લેન્ડરે અહીં સફળતાપૂર્વક ઉતરાણ કયુ હતું અને પ્રજ્ઞાન રોવરે સપાટી પર વૈજ્ઞાનિક તપાસ હાથ ધરી હતી. અભ્યાસના મુખ્ય લેખક ડિવજેશ રાયના જણાવ્યા અનુસાર, પ્રજ્ઞાન રોવર પર લાગેલા આલ્ફા પાર્ટિકલ એકસ–રે સ્પેકટ્રોમીટર દ્રારા કરાયેલા વિશ્લેષણમાં ચંદ્રની માટીમાં મેેશિયમનું પ્રમાણ સામાન્ય કરતાં વધુ જોવા મળ્યું હતું. આ વિશિષ્ટ્ર રાસાયણિક લક્ષણ સ્થળને અનોખી ઓળખ આપે છે. સંશોધક ઋષિતોષ કે. સિંહાએ જણાવ્યું કે એએલએચએ ૮૧૦૦૫ અને શિવ શકિત સ્ટેશન વચ્ચે માત્ર એક જ નહીં, (અનુ. ૧૧મા પાને