અમદાવાદની સાબરમતી નદીમાં લોટીંગ રેસ્ટોરન્ટ શ કર્યા પછી હવે પ્રવાસન નિગમે એવો પ્લાન બનાવ્યો છે કે પ્રાઇવેટ પ્લેયર્સ ગુજરાતના ૧૬૪૦ કિલોમીટરના દરિયા કિનારે અથવા મોટી નદીમાં લોટીંગ રેસ્ટોરન્ટ શરૂ કરી શકશે.વિશ્વના પ્રવાસન નકશા ઉપર જોઇએ તો લોટીંગ રેસ્ટોરન્ટ પ્રવાસીઓને આકર્ષવાનો એક નવો કન્સેપ્ટ છે. જો કે રેસ્ટોરન્ટની વાત આવે એટલે ગંદકી થાય તે સ્વાભાવિક છે. રેસ્ટોરન્ટના મેનેજમેન્ટ તરફથી પાણીમાં કોઇ ગંદકી ન થાય તે બાબતે શું કરી શકાય તે અંગે હાલ વિચારણા ચાલી રહી છે.
ગુજરાત સરકાર પ્રવાસનને ઉત્તેજન આપવા માગે છે. દરિયા કિનારા સાથે રિવર સાઇડ રેસ્ટોરન્ટ તેમજ પ્રખ્યાત તળાવમાં લોટીંગ રેસ્ટોરન્ટ ઉભી કરવાનું નક્કી કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેકટને નવી ટુરિઝમ પોલિસીનો લાભ આપવાની પણ સક્રિય વિચારણા હાથ ધરવામાં આવી છે.ગુજરાતના મોટા શહેરોમાં આવેલા પબ્લિક લેકમાં પણ આ કન્સેપ્ટમાં કેવી રીતે આગળ વધી શકાય તે અંગે વિવિધ વિભાગો અને જે તે સ્વૈચ્છિક સંસ્થાઓને રિપોર્ટ કરવા કહેવામાં આવ્યું છે. ગુજરાતમાં એવા શહેરો છે કે યાં તળાવમાં પણ લોટીંગ રેસ્ટોરન્ટ શ થઇ શકે તેમ છે.
ટુરિઝમ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે ગુજરાતની નદીઓ અને કેનાલોમાં જેમ વોટર ટ્રાન્સપોર્ટની સુવિધા વિકસાવવાનું પ્લાનિંગ થઇ રહ્યું છે તેમ લોટીંગ રેસ્ટોરન્ટ પણ કરી શકાય છે. થીમ બેઝ લોટીંગ રેસ્ટોરન્ટ કરવા માટે ખાનગી કંપનીઓ અને ડેવલપર્સને આમંત્રણ આપવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech