આજે તા. ર3મી મે - બુઘ્ધ પૂર્ણિમા
બુદ્ધ પૂર્ણિમા બુદ્ધ જયંતી તરીકે પણ ઓળખાય છે. બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધ એટલે કે રાજકુમાર સિદ્ધાર્થ ગૌતમનો આ દિવસે જન્મ થયો હતો. બૌદ્ધ પરંપરા અને પુરાતત્વીય શોધોના આધારે ગૌતમ બુદ્ધનો જન્મ નેપાળના લુમ્બિનીમાં 563 અને 483 બીસી વચ્ચે થયો હોવાનું કહેવાય છે. તેમની માતા, રાણી માયા દેવીએ તેમના પિતા રાજા શુદ્ધોદન હતા.માયા દેવી તેમના પૈતૃક ઘરની યાત્રાએ હતી તે દરમિયાન બુદ્ધ જન્મ થયો હતો.
થાઈલેન્ડ, તિબેટ, કોરિયા, લાઓસ, જાપાન, ચીન, વિયેતનામ, મંગોલિયા, કંબોડિયા અને ઈન્ડોનેશિયા તેમજ ભારત, શ્રીલંકા, નેપાળ, ભૂતાન અને તિબેટ સહિત દક્ષિણ પૂર્વ એશિયાના ઘણા દેશો આ દિવસને ખૂબ જ હષોલ્લર્સિથી ઉજવવામાં આવે છે. બૌદ્ધનો જન્મ હિંદુ કેલેન્ડરની વૈશાખ મહિનાની પુનમે થયો હતો. પશ્ચિમી કેલેન્ડરમાં તારીખ દર વર્ષે બદલાય છે પરંતુ સામાન્ય રીતે એપ્રિલ અથવા મેમાં આવે છે. આ વર્ષે તે 23 મે, 2024 ના રોજ આવે છે.
બુદ્ધ પૂર્ણિમા, જેને વેસાક અથવા બુદ્ધ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધના જન્મની તેમજ આજ દિવસે બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું તેથી આ દિવસ ઉજવવામાં આવે છે. તે વિશ્વભરના બૌદ્ધો માટે ધ્યાન અને દયાના કાર્યોના દિવસ તરીકે ગહન મહત્વ ધરાવે છે. તે કરુણા, અહિંસાના સિદ્ધાંતો પર ભાર મૂકતા બુદ્ધના જીવન અને ઉપદેશોની ઉજવણી કરે છે. આ દિવસે, અનુયાયીઓ મંદિરોની મુલાકાત લેવા, પ્રાર્થના કરવા તેમજ ધાર્મિક વિધિઓમાં જોડાય છે. બુદ્ધ પૂર્ણિમા એ કાલાતીત જ્ઞાનની યાદ અપાવે છે જે બુદ્ધે આપેલ છે, જે ભક્તોને આંતરિક શાંતિ અને આધ્યાત્મિક જાગૃતિ માટે પ્રેરણા આપે છે.
બુદ્ધ પૂર્ણિમાની રાષ્ટ્રીય રજા હોતી નથી. ભારતમાં રાજપત્રિત રજા છે, તેથી, સરકારી કચેરીઓ, પોસ્ટ ઓફિસો અને બેંકિંગ સંસ્થાઓ જ બંધ રહે છે. આ રજા સિક્કિમ, લદ્દાખ, અરુણાચલ પ્રદેશ, બોધગયા, સ્પીતિ જિલ્લો, કિન્નૌર અને કાલિમપોંગ, દાર્જિલિંગ અને કુર્સિયોંગ સહિત ઉત્તર બંગાળના વિવિધ ભાગોમાં ખાસ કરીને મનાવવામાં આવે છે. વધુમાં, તે મહારાષ્ટ્રમાં ઉજવવામાં આવે છે, જે ભારતની 77% બૌદ્ધ વસ્તીનું ઘર છે.
આ દિવસે, બૌદ્ધો લાંબા સમય સુધી બૌદ્ધ સૂત્રમાં ભાગ લેવા માટે વિહારોમાં ભેગા થાય છે, જે ધાર્મિક વિધિ સમાન છે. બૌદ્ધ ભક્તો બુદ્ધ મંદિરોની મુલાકાત લે છે, પ્રાર્થના કરે છે, મીણબત્તીઓ અને ધૂપબત્તિઓ પ્રગટાવે છે અને ભગવાનની પ્રતિમાને ફળો અને મીઠાઈઓ અર્પણ કરવામાં આવે છે, લોકો સામાન્ય રીતે સફેદ વસ્ત્રો પહેરે છે, માંસાહાર કરતાં નથી , બૌદ્ધ ધર્મ અનુસાર, આ દિવસે સુજાતા નામની એક મહિલાએ બુદ્ધને દૂધ અર્પણ કર્યુ હતું. અનુયાયીઓ આ દિવસે તમામ જીવો પ્રત્યે સહાનુભૂતિ અને કરુણાના પ્રતીક તરીકે પાંજરામાં બંધ પક્ષીઓને મુક્ત કરે છે, જે ભગવાન બુદ્ધની સૌથી મહત્વપૂર્ણ ઉપદેશોમાંનો એક છે.
એવું કહેવાય છે કે બુદ્ધે ભારતમાં પ્રસિદ્ધ બૌદ્ધ તીર્થસ્થળ ઉત્તર પ્રદેશના સારનાથમાં જ્ઞાન પ્રાપ્તિ પછી તેમનો પ્રથમ ઉપદેશ આપ્યો હતો. દર વર્ષે, ત્યાં એક વિશાળ મેળો ભરાય છે. ઉપરાંત, બુદ્ધના અવશેષોને સરઘસમાં જાહેર દર્શન માટે બહાર લાવવામાં આવે છે. દેશભરમાં વિવિધ સ્થળો પર બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે
મહાબોધિ મંદિર, બિહાર
બિહારમાં બોધ ગયા ખાતેનું મહાબોધિ મંદિર બૌદ્ધો માટે સૌથી પવિત્ર યાત્રાધામોમાંનું એક છે. આ તે સ્થાન છે જ્યાં ભગવાન બુદ્ધે એક પ્રાચીન બૌદ્ધ વૃક્ષ નીચે બેસીને જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. આ વૃક્ષ આજે પણ મંદિરની અંદર છે. આ મંદિર રાજા અશોકે બનાવ્યું હતું. આ મંદિરમાં પીળા પથ્થરોથી બનેલી બુદ્ધની ભવ્ય પ્રતિમા પણ છે.
સારનાથ મંદિર, વારાણસી
સારનાથ મંદિરને કોઈ પરિચયની જરૂર નથી. સારનાથ, બૌદ્ધ તીર્થસ્થળોમાંનું એક છે જ્યાં બુદ્ધે તેમના શિષ્યોને પ્રથમ ઉપદેશ આપ્યો હતો. વારાણસીમાં આવેલું આ મંદિર રાજા અશોકે બનાવ્યું હતું. અહીં જોવાલાયક કેટલાક મુખ્ય સ્થળોમાં ચૌખંડી સ્તૂપ, મૂળગંધા કુટી વિહાર, ધામેક સ્તૂપ અને ધર્મરાજિકા સ્તૂપનો સમાવેશ થાય છે.
વાટ થાઈ મંદિર, કુશીનગર
લોકો શાંતિ તેમજ પ્રકૃતિની વચ્ચે ધ્યાનનો અભ્યાસ કરવા માટે આ મંદિરે જાય છે. આ મંદિર કોઈ ખજાનાથી ઓછું નથી. આ સુંદર મંદિરમાં પ્રાર્થના હોલ છે જ્યાં વ્યક્તિ શાંતિથી ધ્યાન અને પ્રાર્થના કરી શકે છે. આ સ્થાનની આધ્યાત્મિક આભા તેની વિશેષતા છે. અહીં બૌદ્ધ અને થાઈ સ્થાપત્ય કળાનું મિશ્રણ જોવા મળશે.
લાલ મૈત્રેય મંદિર, લેહ
આ મંદિર સૌથી અદભૂત ભારતીય સ્થળોમાંનું એક છે. આ મંદિર થિકસે મઠનો એક ભાગ છે અને આ મંદિર ભગવાન બુદ્ધની 49 ફૂટ ઊંચી પ્રતિમા માટે પ્રખ્યાત છે. વિશ્વભરમાંથી યાત્રાળુઓ અને પ્રવાસીઓ તેની સુંદરતા અને આધ્યાત્મિક મહત્વ માટે આ સ્થળની મુલાકાત લે છે.
મહાપરિનિવર્ણિ મંદિર, કુશીનગર
ઉત્તર પ્રદેશના કુશીનગર ખાતેનું મહાપરિનિવર્ણિ મંદિર બુદ્ધને સમર્પિત અન્ય પવિત્ર તીર્થસ્થાન છે. આ મંદિર તેના સુંદર સ્થાપત્ય અને લાલ પથ્થરોના ઉત્કૃષ્ટ શિલ્પકલા માટે સ્થાનિકો અને વિદેશીઓમાં લોકપ્રિય છે. સ્વામી હરિબાલા બુદ્ધના એક મહાન અનુયાયીએ આ મંદિર બનાવ્યું હતું.
સુવર્ણ પેગોડા મંદિર, અરુણાચલ પ્રદેશ
હિમાલયની તળેટીમાં આવેલું, સુવર્ણ પેગોડા મંદિર અથવા કોંગમુ ખામ અરુણાચલ પ્રદેશના નમસાઈ જિલ્લામાં 20 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે. આ મંદિરનું મુખ્ય આકર્ષણ તેના 12 ગુંબજ છે, જે તાજેતરમાં 2010 માં બનાવવામાં આવ્યું હતું.
થરવાડા બૌદ્ધ મંદિર, ઇટાનગર
આ ઉત્તરપૂર્વ ભારતમાં સૌથી પ્રસિદ્ધ બૌદ્ધ મંદિરોમાંનું એક છે. આ સ્થાન ભક્તો માટે ષધ્યાન પ્રેમથી ભરેલું છે. આ મંદિર કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું છે. આ તમામ સ્થળો પર બુદ્ધ પૂર્ણિમા ધામધૂમથી ઉજવવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવોંકળા સફાઈના નામે કરેલો ખર્ચ પાણીમાં, હજુ પણ ગંદકીના થર
July 05, 2024 07:04 PMઅઢી વર્ષ થી હત્યા નાં ગુન્હા માં નાસ્તા - ફરતા આરોપી ને ઝડપી પાડતી પોલીસ
July 05, 2024 07:02 PMઉના પંથકમાં ખડકાયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા કલેકટરે અધિકારીને આદેશ કર્યો.
July 05, 2024 06:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech