શિક્ષણ વિભાગ દ્રારા તારીખ ૬ મેથી ૯ જૂન સુધી ૩૫ દિવસ વેકેશન જાહેર કરાયા તાત્કાલિક ધોરણે આ પરિપત્રને સ્થગિત કરી દેવામાં આવ્યો હતો અને ચૂંટણી પંચના આદેશ બાદ નિર્ણય બદલવામાં આવ્યો છે. હવે આગામી દિવસોમાં ઉચ્ચ અધિકારીઓ અને સરકારની બેઠક મળ્યા બાદ શાળાઓમાં વેકેશન અંગેનો નિર્ણય લેવામાં આવશે.
પ્રાથમિક સ્કૂલોમાં જાહેર કરવામાં આવેલા ઉનાળા વેકેશનનો પરિપત્ર સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાયની પ્રાથમિક સ્કૂલોમાં ૬ મેથી ઉનાળુ વેકેશન જાહેર કરવાનો પરિપત્ર કરવામાં આવ્યા બાદ ચૂંટણીના પગલે શિક્ષકો કામગીરીમાં જોડાયેલા હોવાના લીધે પરિપત્ર સ્થગિત કરવામાં આવ્યો છે. જેથી હવે આગામી દિવસોમાં ઉનાળુ વેકેશનને લઈને નવી તારીખ જાહેર કરાશે.
જોકે, આ પરિપત્રના પગલે માત્ર શિક્ષકોને જ અસર થશે, વિધાર્થીઓ તો પરીક્ષા પૂર્ણ થયા બાદ સ્કૂલે જતાં ન હોવાના લીધે તેમનું વેકેશનનો પરીક્ષા પૂર્ણ થયા બાદ તરત જ થઈ જતું હોય છે, પરંતુ શિક્ષકોને આ પરિપત્રની અસર થશે. પ્રાથમિક શિક્ષણ નિયામક દ્રારા ઉનાળુ વેકેશન જાહેર કર્યાના બીજા જ દિવસે પરિપત્ર સ્થગિત કરી દેવામાં આવ્યો છે.
રાજયની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટેનું શૈક્ષણિક કેલેન્ડર શિક્ષણ બોર્ડ દ્રારા જાહેર કરવામાં આવતું હોય છે. આ કેલેન્ડર અનુસાર ઉનાળું વેકેશન એક સમાન રહે તે માટે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્રારા પણ શિક્ષણ બોર્ડે નક્કી કરેલી તારીખોમાં જ ઉનાળું વેકેશન આપવામાં આવતું હોય છે. જેથી શિક્ષણ બોર્ડના એકેડેમિક કેલેન્ડરમાં આ વર્ષે ઉનાળુ વેકેશન ૬ મેથી ૯ જૂન સુધીનું જાહેર કરવામાં આવ્યું હતું અને ૧૦ જૂનથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારભં થશે તેવી સત્તાવાર જાહેરાત કરાઈ હતી.
જોકે, પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્રારા ઉનાળુ વેકેશનની જાહેરાત કરતો પરિપત્ર કરવામાં આવ્યા બાદ ધ્યાને આવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીને લઈને પ્રાથમીક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના શિક્ષકોને કામગીરી સોંપવામાં આવેલી છે. જેમાં ૭ મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું હોવાથી શિક્ષકોને ૯ મે સુધીની કામગીરીના ઓર્ડર ઈશ્યુ કરવામાં આવેલા છે. આમ, એક બાજુ ચૂંટણીની કામગીરીના ઓર્ડર ઈશ્યૂ કરેલા છે અને જો તે દરમિયાન વેકેશન જાહેર કરી દેવામાં આવે તો મુશ્કેલી સર્જાય તેવી શકયતા હોવાનું જણાતા ઉનાળું વેકેશન જાહેર કરવા માટે કરાયેલો પરિપત્ર હાલ પુરતો સ્થગિત કરવાનું નક્કી કરાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMજામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નીકળ્યા સાયકલ યાત્રાએ
April 18, 2025 06:16 PMજામનગરમાં આજે વિશ્વ હેરિટેજ દિવસની ઉજવણી
April 18, 2025 06:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech