આરએસએસની બેઠકમાં લોકસભા ચૂંટણી, સંદેશખાલી અને મણિપુર પર થશે ચર્ચા

  • March 09, 2024 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાગપુરમાં યોજાનારી બેઠકમાં શાખાઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીની થશે સમીક્ષા : સર કાર્યવાહના પદ માટે ચૂંટણી પણ યોજાશે


લોકસભા ચૂંટણી 2024 પહેલા, નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની ત્રણ દિવસીય બેઠક યોજાવા જઈ રહી છે. તેમાં મણિપુર હિંસા, શંદેશખાલી હિંસા અને ચૂંટણીઓ પર ચર્ચા થવાની શક્યતા છે.

ત્રણ દિવસની બેઠકમાં સર કાર્યવાહના પદ માટેની ચૂંટણી પણ યોજાશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં ચીફ પછી તે બીજું સર્વોચ્ચ પદ છે. દત્તાત્રેય હોસાબલે હાલમાં આ પદ સંભાળી રહ્યા છે. તેઓ 2021માં ત્રણ વર્ષની મુદત માટે ચૂંટાયા હતા. બેઠક દરમિયાન, સંગઠનના સંબંધિત રાજ્ય એકમોના 'સંઘચાલક' (મુખ્ય) અને 'સર કાર્યવાહ' (સચિવ)ના પદ માટે પણ ચૂંટણી યોજાશે. બેઠકમાં દેશના મહત્વના મુદ્દાઓ પર ઠરાવો પસાર કરવામાં આવશે.

આ બેઠકમાં સંસ્થાના સ્વયંસેવકો અને તેની વિવિધ શાખાઓ દ્વારા કરવામાં આવતા તમામ કાર્યો અને સેવાકીય કાર્યોની સમીક્ષા કરવામાં આવશે. સાથે જ 2024-25ના આયોજન અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. આ દરમિયાન આ વર્ષ માટે સંઘના વડા અને સંગઠનના સ્વયંસેવકોના ‘સ્થાનાંતરણ’ પર ચર્ચા થશે. 45 પ્રાંતોના 1500 જેટલા સ્વયંસેવકો અને અધિકારીઓ બેઠકમાં હાજરી આપે તેવી શક્યતા છે.

શતાબ્દી વર્ષની તૈયારીઓ પર મંથન

આ બેઠકમાં સ્વયંસેવકોની તાલીમ માટે નવી 'સંઘ શિક્ષા વર્ગ' યોજનાના અમલીકરણ અને સંગઠનના કાર્ય અને વિસ્તારોને વિસ્તૃત કરવાની યોજના અંગે પણ ચર્ચા કરવામાં આવશે. આ દરમિયાન, 2025-26માં સંઘની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે શતાબ્દી વર્ષની ઉજવણીની તૈયારીઓ પર પણ ચર્ચા કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application