સિહોરના ખાખરીયા ગામે દીપડાએ વાછરડીનું મારણ કરીને ખેતરમાં ધામા નાખ્યો હોવાનું સામે આવ્યું છે. દીપડાના આતંકને લઈને ખેડુતોમાં ભારે ભયનો માહોલ છવાયો છે. અને દીપડાને સત્વરે પાંજરે પુરવાની પ્રબળ માંગ ઉઠી છે.
સિહોર શહેર અને પંથકમાં અગાઉ દીપડાના પરિવારે ધામા નાખી આતંક મચાવતા ખેડૂતો, માલધારીઓમાં ફફડાટ ફેલાયો હતો. દરમ્યાન ગત મોડી રાત્રી થી વહેલી સવાર સુધીના કોઈ પણ સમયે ખાખરીયા ગામે ફરીથી દીપડાએ એક વાડીમાં ઘૂસી પશુનું મારણ કરતા ખેડૂત અને માલધારીઓમાં ભય ફેલાયો છે. સિહોરમાં અગાઉ આતંક મચાવ્યા બાદ વનવિભાગના પાંજરે પુરાયા બાદ દીપડાએ પુન: દેખા દીધા છે. જેના પગલે ખેડૂતો, માલધારીઓ તેમજ સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. અને ફરીથી આવી ચડેલો દીપડો વધુ આતંક ફેલાવે તે પૂર્વે વનવિભાગ દ્વારા સત્વરે પકડી લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.ગત રાત્રીના કોઇપણ સમયે ખાખરીયા ગામે મુકેશભાઈ કુવાડિયા નામના ખેડૂતની વાડીમાં ઘૂસેલા દીપડાએ પશુ પર હુમલો કરી એકનું મારણ કરતા સ્થાનિક વિસ્તારમાં વાડી ધરાવતા ખેડૂતો તેમજ માલધારીઓમાં ભયનો માહોલ ઉભો થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech