ઇઝરાયલે દક્ષિણ બેરૂતમાં હિઝબુલ્લાહના ટોચના સૈન્ય કમાન્ડર ફૌદ શુકુરને નિશાન બનાવ્યો હતો. ઇઝરાયલે દાવો કર્યો છે કે તેના કબજા હેઠળના ગોલાન હાઇટ્સમાં સપ્તાહના અંતે થયેલા રોકેટ હુમલા પાછળ શુકુરનો હાથ હતો જેમાં 12 યુવાનો માયર્િ ગયા હતા.ત્યારથી લેબેનોન અને બેરૂતમાં ભારેલો અગ્નિ છે.જેના અનુસંધાને
બેરૂતમાં ભારતીય દૂતાવાસે પોતાના નાગરિકોને લેબનોન છોડીને સહી સલામત નીકળી જવા કહ્યું છે. બેરૂતમાં ભારતીય દૂતાવાસે એક્સ પર લખ્યું છે કે તાજેતરની ઘટનાઓ અને સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને,ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આગામી સૂચના સુધી લેબનોનમાં ન રહે. તમામ ભારતીય નાગરિકોને પણ લેબનોન છોડવાની સલાહ આપવામાં આવી છે. જેઓ કોઈપણ કારણોસર અહીં રોકાયા છે તેઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ અત્યંત સાવધાની રાખે, તેઓ પોતાની અવરજવર મર્યિદિત કરે અને બેરૂતમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહે.ભારત ઉપરાંત અન્ય ઘણા દેશોએ પણ પોતાના નાગરિકોને લેબનોન ન જવાની સલાહ આપી છે. તેણે તેના નાગરિકોને લેબનોન છોડવા પણ કહ્યું છે. ઑસ્ટ્રેલિયાએ તેના નાગરિકોને લેબનોનની મુસાફરી ન કરવાની અને શક્ય તેટલી વહેલી તકે નીકળી જવાની સલાહ આપી છે.
બ્રિટન અને અમેરિકાએ પણ એડવાઈઝરી જાહેર કરી
એડવાઈઝરી જાહેર કરનારા દેશોમાં બ્રિટન અને અમેરિકા પણ સામેલ છે. ઑસ્ટ્રેલિયા દ્વારા જાહેર કરાયેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, ’અમે સતત સલાહ આપીએ છીએ કે અસ્થિર સુરક્ષા પરિસ્થિતિના કારણે ઑસ્ટ્રેલિયનો લેબનોનનો પ્રવાસ ન કરે. ઓસ્ટ્રેલિયનોએ તરત જ લેબનોન છોડવું જોઈએ, કોમર્શિયલ ફ્લાઈટ્સ ઉપલબ્ધ છે.ઘણા દેશોએ બુધવારે જ એડવાઈઝરી જાહેર કરી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે, ’કેટલીક એરલાઇન્સે કેટલીક ફ્લાઈટ્સ સ્થગિત અથવા રદ કરી છે. બેરૂત એરપોર્ટ બંધ થઈ શકે છે અને તમે લાંબા સમય સુધી અટવાઈ શકો છો. એરલાઇન્સ વધુ ફ્લાઇટ્સ રદ કરી શકે છે અથવા ભાડું વધારી શકે છે. ઓસ્ટ્રેલિયન સરકાર આવા સંજોગોમાં તમને બહાર કાઢવામાં મદદ કરી શકશે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતની નવી પહેલ, 'મોડેલ સોલાર વિલેજ' સ્પર્ધામાં જીતો 1 કરોડનું ઇનામ
April 07, 2025 10:43 PMગુજરાતના જળાશયોમાં ઉનાળા માટે પૂરતું પાણી, 207 ડેમમાં 57 ટકા જળસંગ્રહ
April 07, 2025 10:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech