બીસીજી ચેરમેન જે.જે.પટેલ, સભ્યો રમેશચંદ્ર જી.શાહ અને અનિલ સી.કેલ્લા દ્વારા બોલાવવામાં આવેલ મીટિંગમાં ગત તા.૨૭/ ૦૩/ ૨૦૨૫ના રોજના બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પત્રમાં જણાવ્યા મુજબ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર બનાવેલી હાઇપાવર કમિટીના ધ્યાન ઉપર આવેલ કે છેલ્લા બે વર્ષનો સમયગાળો વીતી ગયા પછી પણ સર્ટિફિકેટ એન્ડ પ્લેસ ઓફ પ્રેક્ટિસ (વેરિફિકેશન) રુલ્સ 2015 હેઠળ ધારાશાસ્ત્રીઓ દ્વારા ભરવાપાત્ર વેરિફિકેશન ફોર્મ ૫૦ % જેટલા ધારાશાસ્ત્રીઓ દ્વારા હજુ પણ ભરાયેલા નહિ હોવાનું અને ગુજરાત રાજ્યમાં પણ વેરિફિકેશન ફોર્મ ભરવામાં નોંધપાત્ર સંખ્યામાં ઘટાડો હોવાની નોંધ લેવામાં આવી હતી. આ ઉમદા વ્યવસાયમાં સંખ્યાબંધ ધારાશાસ્ત્રીઓ બોગસ માર્કશીટથી અથવા ખોટા સર્ટિફિકેટના આધારે વકીલાત કરે છે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી હોય તે અંગે રાજ્યના દરેક બાર એસોસીએશનને તેમના બાર એસોસિએશનમાં નોંધાયેલા હોય તેવા ધારાશાસ્ત્રીઓના ફોર્મ તથા તેની સાથે ફી અને માર્કશીટ તથા સર્ટિફિકેટ રજૂ કરવા માટે તેમજ દરેક યુનિવર્સિટીને તાકીદે માર્કશીટ અને સર્ટિફિકેટનું વેરિફિકેશન કરાવી લેવા અન્યથા તેમની સનદ પ્રોવિઝનલી સસ્પેન્ડ કરવા સુધીના પગલાં હાઇપાવર કમિટી દ્વારા ભરવા પડશે, તેવો બીસીજીની આ બેઠકમાં ઠરાવ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, સુપ્રીમકોર્ટ દ્વારા રિટ પિટિશન (સિવિલ) નં. ૮૨/૨૦૨૩ ના ચુકાદા મુજબ દેશના ૩૩ જેટલા રાજ્યના બાર કાઉન્સિલના સ્ટેટરોલ ઉપર નોંધાયેલા ધારાશાસ્ત્રીઓની માર્કશીટ તેમજ સર્ટિફિકેટની ચકાસણી કરવા માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની વિનંતીને આધારે હાઇપાવર કમિટીની રચના કરવામાં આવી છે અને જેમાં દરેક રાજ્યના બાર કાઉન્સિલના સ્ટેટરોલ ઉપર નોંધાયેલા વકીલોને પ્રેકટીસ વેરિફિકેશન ફોર્મ ભરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાં ઈલોન મસ્કની સ્ટારલિંકનો માર્ગ મોકળો, સેટેલાઇટ ઇન્ટરનેટ લાઇસન્સ મળ્યું
June 06, 2025 05:09 PMઅનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન
June 06, 2025 03:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech