એક અહેવાલ અનુસાર ભારતમાં દર વર્ષે મલેરિયાને કારણે ૨ લાખ લોકો પોતાનો જીવ ગુમાવે છે. આ ગંભીર બીમારીની અસર સૌથી વધુ બાળકો પર થાય છે. ત્યારે હવે વિશ્વની સૌથી મોટી વેકિસન મેન્યુફેકચરિંગ કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ચીફ એકિઝકયુટિવ ઓફિસર અદાર પૂનાવાલાએ કહ્યું કે, કોરોના વેકસીન બાદ કંપની હવે મેલેરિયાની રસી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ માટે કંપનીએ તેની ઉત્પાદન ક્ષમતા વધારી છે.
મેલેરિયાએ એક પ્રકારનો ચેપી રોગ છે. જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે. યારે આ માદા મચ્છર વ્યકિતને કરડે ત્યારે વ્યકિતના શરીરમાં ખાસ પ્રકારના બેકટેરિયા છોડે છે, જેને મેડિકલ ભાષામાં પ્લાઝમોડિયમ કહેવામાં આવે છે. ત્યારબાદ વ્યકિતના લોહીમાં આ વાયરસ ભળીને અનેક ગણો વધારો કરે છે, જેની સીધી અસર વ્યકિતના લીવર અને રકતકણો પર પડે છે. હાલ આ સીરમ સંસ્થા કોરોનાની કોવિશિલ્ડ રસી બનાવે છે. માંગના અભાવને કારણે, ઓછી એન્ટિ–કોરોનાવાયરસ રસી બનાવવામાં આવી રહી છે. કંપની હવે મેલેરિયાની રસી બનાવવા માટે તેની ક્ષમતાનો પૂરો ઉપયોગ કરશે.
પૂનાવાલાએ કહ્યું કે, જો ભવિષ્યમાં કયારેય રોગચાળો આવે તો સમગ્ર ભારતમાં માત્ર ત્રણથી ચાર મહિનામાં જ રસીકરણ થઈ શકે છે. તેમણે કહ્યું કે કંપની પાસે મેલેરિયાની રસીના ૧૦ કરોડ ડોઝ બનાવવાની ક્ષમતા છે. જો માંગ વધે તો તેમાં વધુ વધારો કરી શકાય છે. દર વર્ષે લાખો લોકો ડેન્ગ્યુ અને મેલેરિયાનો શિકાર બને છે.
પૂનાવાલાએ જણાવ્યું હતું કે મેલેરિયાની રસી અંગે ટેકનોલોજી ટ્રાન્સફર ડીલને બદલે રસીની નિકાસ પર ભાર આપવામાં આવશે. ડેન્ગ્યુની રસીનું પણ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech