અમરેલીના સીટી સર્વે ભવનમાં ચાલતી લાલિયાવાડી: અરજદારોને ધરમધક્કા

  • May 24, 2025 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલીની સીટી સર્વે કચેરીમાં લાલિયાવાડી ચાલતી હોવાની વ્યાપક ફરિયાદો અરજદારોમાં ઉઠી છે. અધિકારીઓ-કર્મચારીઓને નિવેદ ધરવામાં આવે તો જ તમામ પ્રકારના કામ કરવામાં આવે છે અન્યથા ચપ્પલ ઘસાઈ જાય ત્યાં સુધી કામગીરી કરવામાં આવતી નથી એવપન ગંભીર આક્ષેપો અરજદારો દ્વારા કરવામાં આવી રહ્યા છે. અમરેલી જિલ્લા કક્ષાનું શહેર હોવાથી તમામ તાલુકામાથી અરજદારો પૈસા અને સમય બગાડી કામ માટે કચેરીમાં આવતા હોય છે પરંતુ સર્વર ડાઉન છે, આ કાગળ હજુ ઘટે છે, સાહેબ કાલે રજા પર હતા, હજુ સાહેબ આવ્યા નથી જેવા નતનવા બહાના આગળ ધરી કાવડિયા માટે અરજદારોને ધક્કા ખવડાવામાં આવતા હોવાથી લોકરોષ જોવા મળી રહ્યો છે.


ચોક્કસ કિસ્સામાં છે કે, રિટાયર્ડ કર્મચારી અને વચેટિયા કચેરીમા અંડર ટેબલ વહીવટ કરતા હોવાથી આવા લોકોના કામ તાત્કાલિક અસરથી કરવામાં આવે છે. અને એકની સાથે બે નોંધ પડી જાય છે, જમીનની માપણી પણ થઇ જાય છે. જયારે સામાન્ય અરજદારોને અનેક પ્રોસેસમાંથી પસાર થવું પડે છે એમ છતાં યોગ્ય સમયે કામગીરી થતી નથી. અનેક અધિકારી માત્ર ચાર્જમા હોવાથી કચેરીમા કોઈ પ્રકારની કામગીરીની સમીક્ષા પણ કરતા નથી. અમરેલી સીટી સર્વેમાં હાલમાં માત્ર એક જ મેન્ટેનેસ સરવૈયર હોય જેની પાસે અમરેલી આખું અને બિનખેતીના તમામ ટેબલ હોય જેના કારણે લોકોને ધક્કા ખાવા પડે છે અને અમરેલી જિલ્લામા મેન્ટેનેસ સર્વેયર માત્ર ત્રણ જ છે ત્યારે અરજદારના કામ ઝડપી અને સમયસર પુરા થાય એ માટે સરકાર અને લોક પ્રતિનિધિઓ આગળ આવેને પ્રશ્નનો ઉકેલ લાવે એવી લોકમાંગ ઉઠી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application