ક્ષત્રિય રાજપૂત ડોકટર્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા મહારાણા પ્રતાપજીની પ્રતિમાને પુષ્પાંજલિ

  • May 22, 2023 01:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ક્ષત્રિય રાજપુત ડોક્ટર્સ ઓર્ગેનાઈઝેસન જામનગર દ્વારા ક્રિકેટ બંગ્લા સામે મહારાણા પ્રતાપની મૂર્તિ પર ફૂલમાળા અર્પણ કરીને માં ભૌમની માટે સર્વસ્વ બલિદાન અને સમર્પણ કરનાર ભારત માતાના સપૂત વીર મહારાણા પ્રતાપજીના જન્મજયંતિની ઉજવણી ‚પે સવારે ૮ વાગ્યે મહારાણા પ્રતાપને વંદન અને ફુલહાર કર્યા હતા. રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ જામનગર યુથ વિંગ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમમાં ડો. આર. ટી. જાડેજા, રાષ્ટ્રીય અધ્યક્ષ-ક્ષત્રિય રાજપુત ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન, ડો એમ. વી. ચુડાસમા તથા મુખ્ય અતિથિ ડો. રવિરાજસિંહ ચુડાસમા, ડો. સિદ્ધાર્થસિંહ જાડેજા, ડો. વિરેન્દ્રસિંહ જાડેજા, ડો. સત્યજીતસિંહ ચુડાસમા, ડો. યુવરાજસિંહ ચુડાસમા, ડો. ધર્મેન્દ્રસિંહ ચૌહાણ, ડો. યતિરાજસિંહ સોઢા,  યુવરાજસિંહ રાણા,  રણજીતસિંહ સોઢા હાજર રહ્યા હતા. ગુજરાતના તમામ જિલ્લાઓના મુખ્ય શહેરોમાં આ સંગઠ્ઠન દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમાને સવારે ૭-૦૦ થી ૯-૦૦ વાગ્યા દરમ્યાન પુષ્પાંજલિ કરાઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application