કોડીનાર ટ્રકની ઠોકરે વેપારીના મોતથી ટોળું વિફયુ: ચક્કાજામ

  • June 11, 2024 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોડીનારના રાખેજ પાસે ટ્રકની હડફેટે ફરસાણના વેપારીનું અરેરાટીભયુ મોત નીપજતા ભારે રોષ ફેલાયો હતો. આ અકસ્માતના પગલે રોષે ભરાયેલા યુવાનોએ ચકકાજામ કરી બેફામ ચાલતા ટ્રકો સામે કાયદેસરની કાર્યવાહી કરી અને મૃતકના પરિવારને સહાયની માગ કરી જયાં સુધી માગ નહીં સંતોષાય ત્યાં સુધી મૃતદેહનો અિસંસ્કાર નહી કરવામાં આવે તેવી ચિમકી ઉચ્ચારી રસ્તા પર ઉતરી આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે.


આ અંગેની મળતી વિગત અનુસાર કોડીનારના પાણદર રોડ પર રહેતા મેણસીભાઇ સોલંકી (ઉ.વ.૪૫) ધામણેજ ખાતે ફરસાણની દુકાન ચલાવતા હોય ગત રાત્રીના ૯–૩૦ કલાકે મેણસીભાઇ તેમની દુકાન વધાવીને પુત્ર સાથે બાઇક પર કોડીનાર પરત ફરતા હતાં આ દરમિયાન રાખેજ પાસે ટ્રકે તેમના બાઇકને ઉડાડતા મેણસીભાઇ  ઘટના સ્થળે મૃત્યુ નીપયું હતું. જયારે તેમના પુત્રને સામાન્ય ઇજા પહોંચી હતી.
આ બનાવને લઇ કોળી સમાજમાં ભારે રોષ ફેલાયો હતો અને મૃતદેહને લઇ ગત રાત્રે ચકકાજામ કર્યેા હતા. આ બનાવની પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી મેણસીભાઇના મૃતદેહને કોડીનાર સરકારી દવાખાનામાં પીએમ માટે લાવ્યા હતાં. જયારે પોસ્ટમોર્ટમની કામગીરી પુરી થતાં કોળી સમાજના લોકો આ મૃતદેહને ફરી કોફીનમાં લાવી આજે રસ્તા પર ચકકાજામ કરી દીધો હોય પોલીસ કર્મચારીઓ દોડી ગયા હતાં. જોકે, જયાં સુધી માગ નહીં સંતોષાય ત્યાં સુધી મૃતદેહની અંતિમ વિધિ નહીં કરવામાં આવે તેવી ચિમકી ઉચ્ચારી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application