યુપીમાં વધુ એક ગુનેગારનું એન્કાઉન્ટર કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. બે આરપીએફ કોન્સ્ટેબલ જાવેદ ખાન અને પ્રમોદ કુમારની હત્યાના આરોપી મોહમ્મદ ઝાહિદ ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં એન્કાઉન્ટરમાં માર્યો ગયો. નોઈડા એસટીએફ અને ગાઝીપુર પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં એન્કાઉન્ટર દરમિયાન ઝાહિદને ગોળી વાગી હતી, ત્યારબાદ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. નોંધનીય છે કે ઝાહિદ પર એક લાખ રૂપિયાનું
ઈનામ હતું.
ઝાહિદ ગેરકાયદેસર દારૂની હેરાફેરીમાં સંડોવાયેલી ગેંગનો ભાગ હતો. પોલીસ તેને પકડવા માટે ઘણા સમયથી પ્રયાસ કરી રહી હતી. આ એન્કાઉન્ટર ગાઝીપુરના દિલદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયું હતું, જેમાં જાહિદ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગત 19-20 ઓગસ્ટની રાત્રે તેણે બાડમેર-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનમાં બે આરપીએફ કોન્સ્ટેબલની હત્યા કરી હતી અને ત્યારથી તે ફરાર હતો.
એસટીએફના એડીજી કાયદો અને વ્યવસ્થા અમિતાભ યશે જણાવ્યું કે 19-20 ઓગસ્ટની રાત્રે બે આરપીએફ કોન્સ્ટેબલ જાવેદ ખાન અને પ્રમોદ કુમાર બાડમેર-ગુવાહાટી એક્સપ્રેસ (15631)માં ગેરકાયદેસર દારૂની હેરાફેરી રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ સમય દરમિયાન તસ્કરોએ તેમના પર હુમલો કર્યો, તેમને નિર્દયતાથી માયર્િ અને પછી તેમને ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દીધા, જેના કારણે બંનેના મોત થયા. આ સિવાય સુલતાનપુર લૂંટ કેસમાં અન્ય એક એન્કાઉન્ટરમાં એસટીએફએ અનુજ પ્રતાપ સિંહને ઠાર માર્યો હતો, જ્યારે મંગેશ યાદવના એન્કાઉન્ટરને લઈને સવાલો ઉઠી રહ્યા હતા.
બિહારના પટનામાં ફુલવારી શરીફના રહેવાસી મોહમ્મદ ઝાહિદ પર અપહરણ, હુમલો અને દારૂની દાણચોરી જેવા ગંભીર આરોપો લાગ્યા હતા. તે ઘણા સમયથી ફરાર હતો. ગાઝીપુરના દિલદારનગર વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાનએસટીએફએ તેને ઘાયલ કર્યો અને તેની ધરપકડ કરી, પરંતુ હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. તેની પાસેથી ગેરકાયદેસર .32 બોરની પિસ્તોલ, બે ખાલી કારતુસ અને ગેરકાયદેસર દેશી દારૂ ભરેલી કોથળી મળી આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા બરડીયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે અકસ્માત, 3 થી 4 લોકોના મોત થયાની આશંકા
September 28, 2024 09:01 PMઅમેરિકામાં 'હેલેન' વાવાઝોડાએ તબાહી મચાવી, એક મહિનાના જોડિયા બાળકો સહિત 44ના મોત
September 28, 2024 08:42 PMBCCIની બેઠકમાં IPL પર લેવાશે મોટો નિર્ણય, અધ્યક્ષ સહિત આ 3 પદો પર નિર્ણય!
September 28, 2024 08:38 PMરાજકોટ: મંદિરના પૂજારીને માર મારતો હોવાનો વિડીયો થયો વાયરલ, સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ
September 28, 2024 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech