ખંભાળીયા તાલુકાની સગીરા પર ત્રણ પર વર્ષ પહેલા આચરાયું હતું દુષ્કર્મ: બીજા કેસમાં બિહારના આરોપીએ ગુજાર્યું હતું દુષ્કમ
દુષ્કર્મના બે જુદા જુદા કેસમાં ખંભાળીયાની કોર્ટે બે આરોપીને ર૦-૨૦ વર્ષની સજા અને દંડ ફટકાર્યા છે, ખંભાળીયાની તાલુકાની સગીરા સાથે ત્રણ વર્ષ પહેલાના દુષ્કર્મના કેસમાં અને બીજા એક વર્ષ પહેલાના દુષ્કર્મના કેસના ચૂકાદા આવ્યા છે.
પ્રથમ કેસની વિગતો મુજબ ખંભાળિયા તાલુકાના સલાયા વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીને ગત તારીખ 2 એપ્રિલ 2022 ના રોજ દખણાદા બારા ગામના વાડી વિસ્તારમાં રહેતો લાલુભા પ્રવિણસિંહ જાડેજા નામનો શખ્સ લલચાવી - ફોસલાવીને બદકામ કરવાના ઈરાદે મોટરસાયકલ પર સગીરાનું અપહરણ કરીને લઈ ગયો હોવાની ફરિયાદ સગીરાના પરિવારનો દ્વારા સલાયા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.
ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયા બાદ આરોપી દ્વારા સગીરા સાથે અવારનવાર શરીર સંબંધ બાંધીને દુષ્કર્મ આચરવા સબબ જે-તે સમયે સલાયા મરીન પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 363, 366, 376 તથા પોક્સો એક્ટ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. આ પ્રકરણમાં તપાસનીસ અધિકારી જે.કે. ડાંગર દ્વારા આરોપીના મેડિકલ નમૂના મેળવી અને એફએસએલ તપાસ સાથે ખંભાળિયાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું.
આ કેસ અહીંના સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ શ્રી એસ.જી. મનસુરી સમક્ષ ચાલી જતા આ પ્રકરણમાં ભોગ બનનારની જુબાની તેમજ વિવિધ નિવેદનો વિગેરે સાથે જિલ્લાના મુખ્ય સરકારી વકીલ લાખાભાઈ આર. ચાવડા દ્વારા અદાલત સમક્ષ કરવામાં આવેલી વિવિધ દલીલોને ગ્રાહ્ય રાખી અને સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ શ્રી એસ.જી. મનસુરી દ્વારા આરોપી લાલુભા પ્રવિણસિંહ જાડેજાને તકસીરવાન ઠેરવી, જુદા જુદા ગુનાઓમાં 20 વર્ષની કેદ તથા રૂપિયા 10,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ કેસમાં ભોગ બનનારના સામાજિક આર્થિક અને માનસિક પુનર્વસન માટે કમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂપિયા એક લાખનું વળતર ચૂકવવા માટે પણ આદેશ કર્યો છે.
જ્યારે બીજા કેસની વિગતો મુજબ ખંભાળિયામાં રહેતા એક પરિવારની સગીરાને પરપ્રાંતીય એવા એક શખ્સ દ્વારા આજથી આશરે એક વર્ષ પૂર્વે અપહરણ કરીને લઈ ગયા બાદ તેણી પર આચરવામાં આવેલા દુષ્કર્મના પ્રકરણમાં ખંભાળિયાની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા આરોપીને 20 વર્ષની સખત કેદ તથા દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ અંગેની વિગત એવી છે કે બિહાર રાજ્યના ગયા જિલ્લાના ડેલ્હા તાલુકામાં રહેતા રણજીતકુમાર કારુ બિંદ નામના શખ્સ દ્વારા ગત તારીખ 6 માર્ચ 2024 ના રોજ ખંભાળિયા પંથકમાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીને લગ્ન કરવાની લાલચ આપીને પરિવારજનોના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયા બાદ તેણી પર અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
આ પ્રકરણમાં સગીરાના પિતા દ્વારા આરોપી રણજીતકુમાર કારૂ બિંદ સામે ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ગુના સંદર્ભે પોલીસ દ્વારા દુષ્કર્મ તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી, આરોપી તેમજ ભોગ બન્યાના મેડિકલ નમૂના મેળવીને એફ.એસ.એલ.માં મોકલી જરૂરી તપાસ બાદ ખંભાળિયાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું.
આ અંગેનો કેસ ખંભાળિયાની અદાલતમાં ચાલી જતા પોક્સો કોર્ટના જજ શ્રી એસ.જી. મનસુરી દ્વારા ભોગ બનનારની જુબાની તેમજ કોર્ટ સમક્ષ લેવામાં આવેલા જરૂરી નિવેદન, સાહેદોની જુબાની, મોબાઈલ કોલ ડીટેઈલ, નોડલ ઓફિસરની જુબાની, વિગેરે સાથે જિલ્લા મદદનીશ જિલ્લા સરકારી વકીલ ભગીરથસિંહ એસ. જાડેજા દ્વારા કરવામાં આવેલી સવિસ્તૃત દલીલોને ગ્રાહ્ય રાખી, નામદાર અદાલતે દુષ્કર્મ તેમજ પોક્સોની જુદી જુદી કલમ હેઠળ આરોપી રણજીતકુમારને તકસીરવાન ઠેરવી, 20 વર્ષની સખત કેદ તેમજ રૂપિયા 20,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આટલું જ નહીં, ભોગ બનનારના સામાજિક, માનસિક અને આર્થિક પુનર્વસન માટે તેણીને કમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂપિયા એક લાખનું વળતર ચૂકવવા માટે પણ હુકમ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાંચ વર્ષ બાદ ફરી શરૂ થશે કૈલાશ માનસરોવર યાત્રા, જૂનથી ઓગસ્ટ દરમિયાન કરી શકાશે અરજી
April 26, 2025 11:03 PMતાલાલા ગીર મેંગો માર્કેટમાં કેસર કેરીની હરાજીનો શુભારંભ, પ્રથમ દિવસે 1200 રૂપિયા સુધી ભાવ બોલાયા
April 26, 2025 11:02 PMજામજોધપુર VHP દ્વારા પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલી અપાઈ
April 26, 2025 06:56 PMજામનગર : 150 કરોડની છેતરપિંડી કરનાર 3 આરોપી ઝડપાયા
April 26, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech