આ કેસની ટુંક હકીકત એવી છે કે, ખંભાલીયા તાલુકાના મોટા માંઢા ગામના રહીશ ફરીયાદી વિજયસિંહ શુરૂભા જાડેજા તથા ખંભાલીયાના રહીશ રામભાઈ ઉર્ફે રણમલભાઈ મુરૂભાઈ ગાગીયા વચ્ચે મિત્રતાના સબંધ હોય અને તે સબંધ નાતે રામભાઈ ઉર્ફે રણમલભાઈ મુરૂભાઈ ગાગીયાએ ફરીયાદી વિજયસિંહ પાસેથી રૂા. ૧૫,૧૧,૦૦૦/- હાથ ઉછીના લીધેલ હતાં અને સદરહુ રકમની ચુકવણી માટે આરોપી રામભાઈએ ફરીયાદી વિજયસિંહને ચેક આપેલ હતો.
જે ચેક રીર્ટન થતાં ફરીયાદી રામભાઈએ ખંભાલીયાના મહે. ચીફ.જયુડી.મેજી. સાહેબની કોર્ટમાં ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ - ૧૩૮ મુજબની ફરીયાદ દાખલ કરતાં સદરહુ ફરીયાદ ચાલી જતાં ફરીયાદી તરફે રોકાયેલ એડવોકેટશ્રીની દલીલ તથા રજૂ રાખેલ આધાર પુરાવાઓ ધ્યાને લઈ નામદાર કોર્ટે આરોપી રામભાઈ ઉર્ફે રણમલભાઈ મુરૂભાઈ ગાગીયાને તકસીરવાન ઠરાવી ૬ માસની સજા તથા રૂા. ૨૦,૦૦૦/- દંડ તથા રૂા. ૧૩,૫૦,૦૦૦/- ફરીયાદીને ચુકવી આપવા અને રકમ ન ચુકવે તો વધુ ત્રણ માસની સજા કરતો હુકમ ફરમાવેલ છે.
આ કામે ફરીયાદી તરફે ખંભાલીયાના એડવોકેટ કે. એચ. ત્રીવેદી, ડી.ડી. લુણા, આર. એન. જાડેજા, ડી.એલ. ઓડીચ, એલ. વી. ગઢવી, કે.કે. પંડયા તેમજ આસી. કરણ બી. સવજાણી, ભોજા મોવર રોકાયેલ હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech