લાંચ રૂશ્વતના આરોપીને સજાનો હુકમ ફરમાવતી ખંભાળીયાની સેસન્સ કોર્ટ

  • October 11, 2024 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સને ૨૦૧૬ ની સાલમાં સરકારના સ્વચ્છ ભારત અભીયાન અંતર્ગત શૌચાલય બનાવવા માટે તાલુકા પંચાયત કચેરીમાંથી જરૂરી ફોર્મ મેળવી ફરીયાદી ખેરાજભાઈ જેશાભાઈ ગોરડીયા રે.કજુરડાવાળાએ જે તે વખતના કજુરડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ભીખુભા બાલુભા જાડેજાને તે ફોર્મની પુર્તતા કરવા અને સભ્ય સચિવ તરીકે સહી કરી આપવા કહેતા તલાટી કમ મંત્રીએ રૂ.૨૫૦૦/- ની લાંચની માંગણી કરતા ફરીયાદીએ એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરીયાદ આપતા આ ફરીયાદ અનુસંધાને જે તે વખતના એ.સી.બી. પી.આઈ. એચ.પી. દોશીએ લાંચનું છટકુ ગોઠવી આરોપીને લાંચની રકમ સ્વીકારતા. ઝડપી પાડેલ બાદ આરોપી ભીખુભા બાલુભા જાડેજા સામે ખંભાળીયાના મે. પ્રીન્સીપાલ સેસન્સ જજ એસ.વી. વ્યાસની કોર્ટમાં ચાલી જતા આરોપી ઉપરનો કેસ પુરવાર માની આરોપી ભીખુભા બાલુભા જાડેજાને ૪ વર્ષની સજા તથા રૂ. ૫૦૦૦/- દંડ નો હુકમ ફરમાવેલ છે આ કેસમાં શ્રી સરકાર પક્ષે સરકારી વકીલ કમલેશભાઈ સી. દવે રોકાયેલ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application