એટ્રોસીટીના કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરતી ખંભાળીયા સેસન્સ કોર્ટ

  • March 01, 2025 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજથી આશરે બે વર્ષ પહેલાં ફરીયાદી જીતુભાઈ સુખાભાઈ ચાસીયા નામની વ્યકિતએ મેહુલ મોહનભાઈ કણઝારીયા વિગેરે ચાર વિરૂધ્ધ ફરીયાદ નોંધાવેલ જે આધારે પોલીસે ચાર્જશીટ ફાઈલ કરતાં તે અંગેનો સ્પેશ્યલ એટ્રો કેસ ખંભાલીયાની એડીશ્નલ ડીસ્ટ્રીકટ કોર્ટ સમક્ષ ચાલી જતાં પુરાવાના અંતે વકીલ કે.એચ.ત્રીવેદીની દલીલ માન્ય રાખી પુરાવાના અભાવે આરોપીઓને શંકાનો લાભ નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપીઓના વકીલ તરીકે કે.એચ.ત્રીવેદી, ડી.ડી.લુણા, ધાર્મિક ઓડીચ, આર.એન.જાડેજા તથા આસિસ્ટન્ટ કરણભાઈ બી. સવજાણી,ભોજાભાઈ મોવર રોકાયેલ હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application