ખંભાળિયા: નિદ્રાધીન અવસ્થામાં ખાટલા પરથી પટકાયેલા મહિલાનું અપમૃત્યુ

  • May 03, 2024 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાના 2- નવાપરા વિસ્તારમાં રહેતા ભાનુબેન કરસનભાઈ રામજીભાઈ કણજારીયા નામના 55 વર્ષના પ્રૌઢ મહિલા ગતરાત્રિના સમયે પોતાના રહેણાંક મકાનમાં સુતા હતા અને કોઈપણ સમયે તેઓ નિંદ્રાધીન અવસ્થામાં ખાટલા પરથી નીચે પડી જતા તેમને માથામાં ઇજા તેમજ હેમરેજ થઈ જવાના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ વિવેકભાઈ જયંતીભાઈ નકુમ (ઉ.વ. 34) એ અહીંની પોલીસને કરી છે.

મીઠાપુરમાં વિપ્ર યુવાનનો મોબાઇલ ફોન ચોરાયો



જુનાગઢ જિલ્લાના મૂળ વતની અને હાલ મીઠાપુરની ટાટા ટાઉનશીપ ખાતે રહેતા ભવદીપભાઈ પ્રવીણભાઈ જોશી નામના 32 વર્ષના વિપ્ર યુવાન તા. 1 ના રોજ સુરજકરાડીની બજારમાં ખરીદી કરવા માટે ગયા હતા, ત્યારે કોઈ ગઠિયાઓ તેમનો રૂપિયા 14,000 ની કિંમતનો સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application