દિલ્હીમાં કેદારનાથધામનો ઉત્તરાખંડમાં વિરોધ,સંસ્થાએ કર્યો નામ બદલવાનો નિર્ણય

  • July 17, 2024 04:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​ઉત્તરાખંડમાં વિરોધને જોતા દિલ્હીમાં શ્રી કેદારનાથ ધામ નામના મંદિરના નિર્માણમાં નવો વળાંક આવ્યો છે. મંદિર બનાવનાર સંસ્થાએ વિવાદથી બચવા અને શાંતિ જાળવી રાખવા માટે મંદિરનું નામ બદલવાનો નિર્ણય લીધો છે. સંસ્થા ટૂંક સમયમાં મંદિરને નવું નામ આપશે. 10 જુલાઈના રોજ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી મંદિરના શિલાન્યાસ સમારોહમાં આવ્યા હતા. આ પછી ઉત્તરાખંડમાં કોંગ્રેસ, સંતો અને અનેક સંગઠનોએ દિલ્હીમાં કેદારનાથ મંદિરના નિર્માણ અને મંદિરના શિલાન્યાસ સમારોહમાં ધામીની હાજરી પર સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું.


ઉત્તરાખંડની ઘટના વિશેની જાણ થતા દિલ્હીના બુરારીના હિરંકીમાં શ્રી કેદારનાથ ધામના નામથી મંદિર બનાવનાર શ્રી કેદારનાથ ધામ ટ્રસ્ટ બુરારીના સ્થાપક સુરેન્દ્ર રૌતેલાએ કહ્યું કે મંદિરનું નામકરણ કરવાથી ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો ટ્રસ્ટ મંદિરનું નામ બદલી દેશે. જ્યારે પુષ્કર સિંહ ધામી મંદિરના શિલાન્યાસ સમારોહમાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે તેઓ ધર્મના રક્ષક છે. આ કારણોસર તેમને મંદિરના શિલાન્યાસ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીને મંદિર ટ્રસ્ટ સાથે કોઈ લેવાદેવા નથી.


કેટલાક ધાર્મિક અને સાંસ્કૃતિક સંગઠનો ઉપરાંત કોંગ્રેસે દિલ્હીમાં બનેલા આ મંદિરને ધાર્મિક લાગણીઓ સાથે રમત ગણાવ્યું હતું. તેમણે દલીલ કરી હતી કે કેદારનાથ જેવું પવિત્ર સ્થળ માત્ર ઉત્તરાખંડમાં જ અસ્તિત્વમાં હોઈ શકે છે અને અન્ય કોઈ જગ્યાએ આ નામનો ઉપયોગ કરવો અયોગ્ય છે તો બીજી તરફ વિવાદ અને વિરોધને જોતા મંદિરનું નામ બદલવાનો નિર્ણય લીધો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application