રૂપાલાની ટિકિટ રદ કરવા માટે કાઠી સમાજે તા.૧૬ સુધીનું આપ્યું અલ્ટીમેટમ

  • April 13, 2024 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જો પરસોતમ પાલા ની ટિકિટ તારીખ ૧૬ સુધીમાં ભાજપ રદ નહીં કરે તો કાઠી સમાજ દ્રારા બીજા તબક્કાનું આંદોલન શ કરવામાં આવશે તેવી ચેતવણી હરભમજી ગરાસિયા બોડિગ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કાઠી સમાજના આગેવાનો પ્રતાપભાઈ ખુમાણ, જીતુભાઈ વાળાએ ઉચ્ચારી હતી.

કાઠી સમાજના અમુક આગેવાનો દ્રારા પાલાને અને ભાજપને સમર્થન આપવાની ગઈકાલે ભાજપના કાર્યાલય ખાતે પત્રકાર પરિષદમાં કરેલી જાહેરાત બાબતે પૂછતા આગેવાનોએ જણાવ્યું હતું કે આ વ્યકિતગત અને કાઠી સમાજના એક ગ્રુપનો અભિપ્રાય છે. કાઠી સમાજ આંદોલન સાથે જ છે. અમે પાલાને કે ભાજપને સમર્થન આપવાના નથી. અમે અન્ય સમાજની બહેનની દીકરીઓ માટે માથા આપ્યા છે અને નારી સમાજના અપમાનના મામલે કદી નમતું જોખ્યું નથી અને તેથી આમાં પણ અમે કોઈ પ્રકારે સમાધાન માટે તૈયાર નથી. અમારી એક જ માગણી પાલાની ટિકિટ રદ કરવાની છે.

આંદોલનમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ આગળ હોય છે. પરંતુ પુષો ખુલીને બહાર કેમ આવતા નથી? તેવા સવાલના જવાબમાં કાઠી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે ક્ષત્રિયાણી કદી ન ડરે, એ પોતાનું રક્ષણ કરી શકવા માટે સમર્થ છે. તે નારી શકિત છે. અમારે તેની પાછળ રહેવાની કોઈ જર નથી. અમને તેનામાં પૂરેપૂરો વિશ્વાસ છે.
આગેવાનોએ વધુમાં જણાવ્યું હતું કે અમાં સમગ્ર આંદોલન લોકશાહી ઢબે રહેશે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખોરવાઈ તેવું કોઈ કૃત્ય અમે કરવાના નથી. સરકારી કે જાહેર મિલકતને નુકસાન કરવાની અમારી વૃતિ નથી. કારણકે આ બધી મિલકત આખરે પ્રજાની છે અને પ્રજાની મિલકતને નુકસાન થાય એવું કોઈ કૃત્ય અમે કરવાના નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application