આઇટી કંપનીઓમાં દૈનિક કામના કલાકો 10થી વધારી 14 કરવાની કર્ણાટક સરકારની વિચારણા

  • July 22, 2024 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કર્ણાટક માં, આઇટી કંપનીઓએ કોંગ્રેસની આગેવાની હેઠળની રાજ્ય સરકારને દરખાસ્ત રજૂ કરી છે, જેમાં માંગણી કરવામાં આવી છે કે કર્મચારીઓના કામના કલાકો વધારીને 14 કલાક કરવા માટે કાયદામાં સુધારો કરવો જોઈએ, મીડિયા અહેવાલો અનુસાર શ્રમ વિભાગ દ્વારા બોલાવવામાં આવેલી વિવિધ હિતધારકોની બેઠકમાં આ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, રાજ્ય સરકાર ટેકનિશિયનોના કામકાજના કલાકો પ્રતિ દિવસ 14 કલાક અને સપ્તાહ દીઠ 70 કલાક કરવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. જો કે, નવી દરખાસ્તને કર્મચારીઓ અને આઇટી યુનિયનો દ્વારા સખત વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે, જેમણે તેને અમાનવીય ગણાવ્યું છે.
અહેવાલો અનુસાર, કોંગ્રેસ સરકાર કણર્ટિક શોપ્સ એન્ડ કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 1961માં સુધારો કરવાની યોજના બનાવી રહી છે અને આઈટી કંપ્નીઓ ઈચ્છે છે કે તેમના પ્રસ્તાવને સુધારામાં સામેલ કરવામાં આવે. તેઓ ઈચ્છે છે કે રાજ્ય સરકાર કાયદેસર રીતે કામના કલાકો વધારીને 14 કલાક (12 કલાક + 2 કલાક ઓવરટાઇમ) કરે.
હાલમાં શ્રમ કાયદો 9-કલાકના કામકાજના દિવસને મંજૂરી આપે છે, જેમાં ઓવરટાઇમ તરીકે વધારાના એક કલાકની છૂટ છે. આઇટી કંપ્નીઓ દ્વારા રજૂ કરાયેલા નવા પ્રસ્તાવમાં જણાવાયું છે કે, આઇટી/આઇટીઇએસ/બીપીઑ સેક્ટરના કર્મચારીઓને સતત ત્રણ મહિનામાં દરરોજ 12 કલાકથી વધુ અને 125 કલાકથી વધુ કામ કરવાની મંજૂરી આપી શકાતી નથી.
સૂત્રોને ટાંકતા અહેવાલો અનુસાર, સિદ્ધારમૈયા સરકારે આ મામલે પ્રારંભિક બેઠક કરી છે અને ટૂંક સમયમાં વધુ નિર્ણય લેવામાં આવશે. આ સિવાય કેબિનેટમાં પણ આ પ્રસ્તાવ પર ચચર્િ થવાની શક્યતા છે. જો કે, કર્મચારીઓ અને આઇટી કંપ્નીઓએ આ પ્રસ્તાવનો સખત વિરોધ કર્યો છે અને દાવો કર્યો છે કે તે અમાનવીય છે. આરોગ્યના મુદ્દાઓ અને માસ લેઓફ અંગેની ચિંતાઓને ટાંકીને, તેઓએ સિદ્ધારમૈયા સરકારને દરખાસ્તને નકારી કાઢવા વિનંતી કરી છે.
કણર્ટિક સ્ટેટ આઇટી/આઇટીઇએસ એમ્પ્લોઇઝ યુનિયન (કેઆઇટીયુ) એ આ પગલાનો સખત વિરોધ કર્યો છે કારણ કે તેઓ માને છે કે આ ગુલામી લાદવાનો પ્રયાસ છે. તેણે તમામ આઇટી/આઇટીઇએસ સેક્ટરના કર્મચારીઓને કર્ણાટક સરકારના આઇટી/આઇટીઇએસ/બીપીઑ સેક્ટરમાં કામકાજના કલાકો પ્રતિ દિવસ 14 કલાક વધારવાના પગલાના વિરોધમાં બહાર આવવા આહ્વાન કર્યું છે.
કેઆઇટીયુ અનુસાર, આ સમયગાળામાં કામદાર વર્ગ પરનો આ સૌથી મોટો હુમલો છે કારણ કે તેણે ચેતવણી આપી છે કે આ પ્રસ્તાવથી લગભગ ત્રીજા ભાગના કર્મચારીઓની છટણી થઈ શકે છે. યુનિયને દલીલ કરી હતી કે આનાથી કંપ્નીઓને વર્તમાન થ્રી શિફ્ટ સિસ્ટમમાંથી ટુ શિફ્ટ સિસ્ટમમાં જવાની મંજૂરી મળશે, એટલે કે લગભગ એક તૃતીયાંશ કર્મચારીઓને તેમની રોજગારમાંથી બહાર ફેંકી દેવામાં આવશે.
યુનિયને એવા અભ્યાસોને પણ ટાંક્યા છે જે દશર્વિે છે કે કામના કલાકો વધારવાથી કર્મચારીઓના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, કેસીસીઆઇના રિપોર્ટ મુજબ, આઇટી સેક્ટરના 45% કર્મચારીઓ ડિપ્રેશન જેવી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અને 55% શારીરિક સ્વાસ્થ્યની અસરોનો સામનો કરી રહ્યા છે. કામના કલાકો વધારવાથી આ સ્થિતિ વધુ ગંભીર બનશે.
આ મમલે વાત કરતા શ્રમ મંત્રી સંતોષ લાડે કહ્યું કે પ્રસ્તાવ હજુ ચચર્નિા તબક્કામાં છે. કામના કલાકો વધારીને 14 કલાક કરવાનો પ્રસ્તાવ આવ્યો છે. આ અંગે હજુ ચચર્િ ચાલી રહી છે. જો દરખાસ્ત લાગુ કરવામાં આવે છે, તો તે રાજ્યની રાજધાની બેંગલુરુ પર પ્રતિકૂળ અસર કરશે, જે દેશનું આઇટી હબ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application