કરીનાએ ઇન્સ્ટાગ્રામ પર નોટ શેર કરી સ્પેસ આપવા વિનંતી કરવી પડી
કરીનાએ પતિ પર થયેલા હુમલાના 23 દિવસ બાદ એક્ટ્રેસે 'છૂટાછેડા' પર કરી ક્રિપ્ટિક પોસ્ટ, જે લોકોમાં ચર્ચાનું કારણ બની રહી છે.
એક્ટર સૈફ અલી ખાન પર થયેલા હુમલાને 20 દિવસથી વધુ સમય થઈ ગયો છે. મુંબઈ પોલીસે આરોપીની ધરપકડ કરવાનો દાવો કર્યો છે. આ દરમિયાન કરીના કપૂરની એક ક્રિપ્ટિક પોસ્ટે લોકોનું ધ્યાન ખેંચ્યું છે, જેમાં તે લગ્ન અને છૂટાછેડાનો ઉલ્લેખ કરતી વખતે પોતાના દિલની વાત કહી છે.
સૈફ અલી ખાન નસીબદાર છે કે આવા જીવલેણ હુમલા પછી પણ તેનો જીવ બચી ગયો. એક ઑટો ડ્રાઈવર તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયો અને ડૉક્ટર્સે તેની સમયસર તેની સર્જરી કરી, જેના કારણે તેને માત્ર ચાર દિવસ પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. સૈફ પર થયેલા હુમલાના થોડા દિવસો પછી કરીના કપૂરે એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરીને પોતાના દિલની વાત કરી છે. તેણે સમજાવ્યું કે જ્યારે તમારા નજીકના લોકો સાથે આવી ઘટનાઓ બને છે ત્યારે તે તમને નમ્ર બનાવે છે.
કરીના કપૂરે તેની ઇન્સ્ટાગ્રામ કહાનીમાં લખ્યું, 'તમે લગ્ન, છૂટાછેડા, ચિંતાઓ, બાળકનો જન્મ, નજીકના વ્યક્તિનું મૃત્યુ, પેરેન્ટિંગને ત્યાં સુધી સમજી શકતા નથી જ્યાં સુધી તે તમારી સાથે ન થાય.
કરીના કપૂરે આગળ લખ્યું, 'જીવનની પરિસ્થિતિઓ વિશેના નિયમો અને ધારણાઓ અસલ નથી.' તમને લાગે છે કે તમે બીજા કરતા વધુ બુદ્ધિશાળી છો, પણ સમય જતાં જીવન તમને નમ્ર બનાવે છે.
સૈફ પર થયેલા હુમલા બાદ કરીના કપૂરે અગાઉ ઇન્સ્ટાગ્રામ પર એક નોટ શેર કરી હતી, જેમાં તેણે મીડિયાને તેની ગોપનીયતાનો આદર કરવા અને તેને સ્પેસ આપવા વિનંતી કરી હતી.
એક્ટ્રેસે લખ્યું હતું કે, 'અમારા પરિવાર માટે આ એક મુશ્કેલ દિવસ રહ્યો છે અને અમે હજુ પણ તે ઘટનાઓમાંથી બહાર આવવાની કોશિશ કરી રહ્યા છે.' હું મીડિયા અને પાપારાઝીને વિનંતી કરું છું કે આ મુશ્કેલ સમયમાં અફવાઓથી દૂર રહે. અમે તમારી ચિંતા અને સમર્થનની પ્રશંસા કરીએ છીએ, પરંતુ સતત તપાસ અને ધ્યાન ફક્ત મુશ્કેલ જ નથી, પરંતુ અમારી સલામતી માટે ગંભીર ખતરો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુદ્ધ તો દૂરની વાત, સિંધુના પાણી માટે પાકિસ્તાને ભારત પાસે કરગરવાનું શરૂ કર્યું
June 05, 2025 01:55 PMજામનગર: ગુરૂદ્વારા ચોકડી પાસે ફલાય ઓવરબ્રિજને આકર્ષક ચિત્રો સાથે રંગરૂપ આપવાનું શરૂ કરાયું
June 05, 2025 12:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech