કપિલ શર્મા શો ફેમ અતુલ પરચુરેનું નિધન, 57 વર્ષની વયે થયું મૃત્યુ

  • October 14, 2024 08:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મરાઠી અને હિન્દી ફિલ્મોમાં અભિનય કૌશલ્ય માટે જાણીતા અભિનેતા અતુલ પરચુરેનું નિધન થયું છે. અભિનેતા 57 વર્ષનો હતો. કેન્સરની ગંભીર બીમારીથી પીડિત અતુલે દુનિયાને અલવિદા કહી દીધું છે.


મરાઠી અને હિન્દી ફિલ્મોમાં પોતાના અદ્ભુત કોમિક ટાઈમિંગથી લોકોના દિલ જીતનાર પીઢ અભિનેતા અતુલ પરચુરેનું આજે 14 ઓક્ટોબરે નિધન થયું છે. અભિનેતાએ 57 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. અભિનેતાને થોડા વર્ષો પહેલા કેન્સર હોવાની ખબરપ પડી હતી. ત્યારબાદ તેની સારવાર ચાલી રહી હતી. તેમના નિધનથી ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો આઘાતમાં છે. અતુલે તેની લાંબી કારકિર્દીમાં ઘણી મરાઠી અને હિન્દી ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું હતું. તે 'કપિલ શર્મા શો'માં ઘણા પાત્રો ભજવવા માટે જાણીતો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application